SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અને ગુણસેન શ્રેણિએ ચડ્યા. કેવળ જ્ઞાન પામ્યા. ઊઠીને ચાલી નીકળ્યા. સંસારમાં રહ્યા નહિ. ઘણાને આ વાત સ્વીકાર્ય નથી અને પોતે ખાતો, પીતો, સુખશયામાં પોઢતો આત્મરમણતાને માને છે. તે કેવળ ભ્રમિત થઈને સંસારવૃદ્ધિ કરે છે. [૬] ભરત ચક્રવર્તી સંસારમાં છે. હજારો રાણીઓના સંગમાં પણ જાગૃત છે. ભોગને વિષપાન જાણી પૂર્વસંચિત કર્મને ભોગવી લે છે. યુદ્ધ જાય અને જીત જાહેર થાય ત્યારે એકસાથે હજારો શ્રાવકો કે જેમને ભરતરાજાએ વેતનથી નોકરીમાં રાખ્યા હતા. શા માટે ! જ્યારે જીતની જાહેરાત થાય ત્યારે તે સૌ એકસાથે બોલે ચેત ભરત ચેત, સંસારની વૃદ્ધિમાં લૂંટાઈ જઈશ. આ જીત નથી હાર છે, આને આત્મરમણતાની જિજ્ઞાસા કહેવાય, બાકી કેવળ શુષ્ક વાતો જે ભ્રમણા છે માટે સાધકે પ્રામાણિકપણે અંતરઅવલોકન કરવું. કે પોતે કેટલે અંશે સ્થિર છે અથવા કેટલી નબળાઈ છે. જેમ વિજયકાંક્ષી રાજા નવો દેશ જીતવા નીકળે ત્યારે વિજિત દેશની બધી સ્થિતિની માહિતી મેળવીને આગળ પગલું ભરે છે. તેમ સાધકે પોતાની દશાનું આગળનું માપ કાઢીને સાધનામાં પ્રવૃત્ત થવું. [૯૭] ધર્મ = સ્વભાવ. કયો ધર્મ સ્વભાવ છે. અથવા એ ધર્મ ક્યાં છે? આત્મધર્મ કોને કહેવો? આત્મા એક અરૂપી વસ્તુ-પદાર્થ છે. અરૂપી હોવા સાથે તે અનંતગુણોનો અખંડ પિંડ છે. ગુણ વસ્તુનો ધર્મ છે. ગુણોને ધારણ કરવાની યોગ્યતા તે ધર્મ. આત્માના ગુણોધમ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતજ્ઞાન છે. [૮] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માના ગુણો છે, તે જ વીતરાગી અવસ્થા છે. જેમાં અન્ય ગુણો સમાય છે. વીતરાગતાએ આત્માનો શુદ્ધ ઉપયોગ છે જે ત્રિકાળી છે. જેને લક્ષ્યમાં લેવાથી આત્માની અવસ્થામાં શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. એ શુદ્ધ ઉપયોગ પૂર્ણ સુખની સ્થિતિનું કારણ બને છે. આવા શુદ્ધ ધર્મથી વિચલિત થયેલા જીવોને ૨૬ મા અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy