SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા સમજ્યો કે વ્યાપારીઓ ઠગ હોય છે. આ વ્યાપારીએ મને છેતર્યો. આથી તેના એક મિત્રને બોલાવ્યો. આ મિત્ર પેલા પુત્રઘરે રોજ જતો અને દૂધની બધી વિધિ જોતો. તેણે રાજાના સેવકોને પ્રથમ જ્ઞાન આપ્યું. પછી વિધિ બતાવી. કઢાયું દૂધ તૈયાર થયું. આમ જ્ઞાન અને વિધિનો મેળ છે. | [0] નિશ્ચયનય વ્યવહારનયના અનેક ભેદો છે. તે જાણવા પ્રયોજનભૂત છે પરંતુ તે કંઈ ગોખવા શીખવાના વિષયો નથી. ગુરુગમે, સમર્પણભાવે ભૂમિકાનુસાર તે સમજાવે ત્યારે તે સમ્યપ્રકારે પરિણમે છે. બંને દૃષ્ટિ અન્યોન્ય પૂરક છે. નિશ્ચય પરિણામ સ્વરૂપ છે વ્યવહાર વિધિ સ્વરૂપ છે. રાધકદશામાં બંનેનું સ્થાન તે તે સ્વરૂપે યથાર્થ છે. જેમ સ્કૂટર જેવાં વાહનના બે પૈડામાં એકને પંચર હોય તો વાહન ચાલે નહિ, પૈડાં મોટાં નાનાં હોય તે સવાલ નથી બંને પૈડાં પંચર વગરનાં જોઈએ. તેમ કેવળ નિશ્ચય કે કેવળ વ્યવહારદૃષ્ટિનું એકાંતે પ્રયોજન વ્યર્થ છે. [૯૧] કોઈ કહે કે ક્રિયાઓ કરી પણ હેતુ સિદ્ધ ન થયો. અનંતવાર દીક્ષાદિ ગ્રહણ કર્યા પણ પરિભ્રમણ ટળ્યું નહિ. ભાઈ ! તેમાં ઓઘાદીક્ષાનો દોષ ન હતો. દોષ જીવની અજ્ઞાનતાનો હતો. આ જીવનમાં એ વાત સમજાઈ તો હવે દીક્ષા ગ્રહણ કરી સાચો ઉપાય કર. પણ દીક્ષા લેવાથી કાર્ય સરતું નથી તેમ માનીશ તો તારું મોક્ષપ્રયોજનભૂત કાર્ય ક્યારે પણ સિદ્ધ નહિ થાય. એવી માન્યતામાં સંસારવૃદ્ધિ થશે. અનાદિની ભૂલ સુધારવાનો આ અવસર છે. સંસારત્યાગ કર્યા વગર ઓઘો લીધા વગર તારી મુક્તિ નથી. [૯૨). વળી એમ કેમ વિચારતો નથી કે અનાદિ કાળથી કીડી, ઉંદર થઈ દર કર્યા, પક્ષી થઈ માળા કર્યા. મનુષ્ય થઈ ઘર બંગલા બાંધ્યા. અરે લગ્ન વગેરે કરતો આવ્યો પણ આ વાસના ટળી નહિ માટે હવે લગ્ન કરું નહિ. કદાચ મેં કરવાની ભૂલ કરી તો હવે દીકરાના લગ્ન તો કરું જ નહિ. કેવળ સન્માર્ગ – પરમાર્થમાર્ગમાં જ જીવને બહાના ૨૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy