SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વિકસાવતો વિશેષ અંતર્મુખ થાય છે. તે શુષ્ક આલાપ કરતો નથી. [૮૮] અંતર્મુખ સમ્યગ્દષ્ટિને શુભ ભાવ, પ્રશસ્ત રાગ હોય છે. પરંતુ તે રાગ કરવા જેવા નથી તેવો અંતરમાં અભિપ્રાય વર્તે છે. શાસ્ત્રવાચનશ્રવણ તે પુષ્ટ અવલંબન છે. પરંતુ સ્વરૂપ અનુસંધાનમાં તે પણ પરાવલંબન છે. કોઈ પણ રીતે ઉપયોગનું બહિર્મુખ થવું તે શુભાશુભ રાગનું કારણ છે. તેથી ૫૨ અવલંબનયુક્ત શ્રુત-જ્ઞાનાદિને પણ સાધન માને છે. સાધ્ય તો શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે પરંતુ છદ્મસ્થ સાધક અવસ્થામાં અન્ય પ્રવૃત્તિમાં બાહ્ય ઉપયોગમાં પ્રવર્તવું હોવાથી દેવાદિનું જ્ઞાનાદિનું પુષ્ટ અવલંબન વિવેકથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ જેમ સાધકની નિરાલંબનને યોગ્ય ભૂમિકા થાય તેમ તેમ સહજ જ સાધક પરાવલંબનથી મુક્ત હોય છે. [૮] વીતરાગના સન્માર્ગમાં જ્ઞાન અને વિધિ (ક્રિયા) બંનેનું ઔચિત્ય છે. બંનેના સ્થાને બંને ઉચિત છે. એક ધનાઢ્ય પિતાના પુત્રે સ્વપુરુષાર્થ માટે પરદેશ રત્નદ્વીપ ધંધા માટે જવાની રજા માગી. પિતા કહે, બેટા, તને સવારે દૂધની આદત છે. ત્યાં દૂધ નહિ મળે. પુત્રે ગાય સાથે લીધી. રત્નદ્વીપ પહોંચ્યો. બુદ્ધિમાન હતો. રાજાને નજરાણામાં ગાયનું કઢાયું દૂધ આપ્યું. રાજાએ કોઈ દિવસ દૂધનો સ્વાદ માણ્યો ન હતો. રાજાને દૂધ ખૂબ પસંદ પડ્યું. રાજાએ પ્રસન્ન થઈને તેને રાજ્યમાં વ્યાપારની ખૂબ સગવડ કરી આપી. બદલામાં રોજે કઢાયું દૂધ મોકલતો. પુત્ર ખૂબ કમાયો. સ્વદેશ જવાની રજા માગી. રાજા કહે પણ પેલા નજરાણાનું શું ? પુત્ર કુશળ હતો. રાજાને ગાય આપી જણાવ્યું કે નજરાણું હવે આ ગાય આપશે. પુત્ર વિદાય થયો. રાજાના સેવકો સવારે ગાય પાસે ચાંદીનાં પાત્રો લઈ ઊભા રહ્યા. ગાયે છાણમૂત્રથી પાત્ર ભરી દીધાં. આ શું? સેવકો ગાયને અડવા જાય, ગાય પાટુ મારે. અમૃતધારા * ૨૩ Jain Education International — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy