SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તત્ત્વને ગૌણ કરી પ્રયોજનભૂત તત્ત્વ ઉપર વિશેષ લક્ષ આપે તો આત્મહિત થાય પણ જો તેવા તત્ત્વ પર દૃષ્ટિ ન જાય તો આત્માનું અહિત થાય છે. આત્મકલ્યાણનો અભિલાષી પ્રથમ તો રાગાદિ મોહનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. મોહના બે પ્રકાર – એક દર્શન મોહ બીજો ચારિત્રમોહ. નાશ તો બંનેનો કરવાનો પણ બંનેની કેવી રીતે ગૌણતા મુખ્યતા કરવી તે જાણતો ન હોય તો ચારિત્રમોહને | કષાયને વિશેષ ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આથી દર્શનમોહ કે જેનો નાશ થવાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થાય છે. તે વાત ભૂલી જાય છે. માટે પ્રથમ દર્શનમોહ ઘટાડવા ઉદ્યમી થવું. સાથે ચારિત્રમોહ ઘટવાનો [૮૬] શાસ્ત્રમાં ઉપદેશબોધની શૈલીમાં કદાચિત વ્યવહારની પ્રધાનતાથી પ્રતિપાદન થયું હોય, જેમકે અપ્રશસ્ત રાગ છોડવા પ્રશસ્તરાગ આવશ્યક છે, અશુભ ભાવથી છૂટવા પ્રશસ્ત રાગ કરવો. આવા કથન તે કાળે યોગ્યતાવશ કહેવામાં આવે છે. તે પ્રશસ્ત રાગમાં કર્તુત્વભાવની ગૌણતા છે. પણ જો કોઈ એમ અભિપ્રાય બાંધે કે જ્ઞાનીને પણ રાગ હોય છે. આવું કથન શોધીને સાધક રાગને પુષ્ટ કરે તો તેને બંધ થવા યોગ્ય છે. કારણ કે તેમાં રાગનો આદર થવાથી સ્વસ્વભાવનો અનાદર થાય છે. માટે ગુરુગમે હેય-ઉપાદેયને બરાબર જાણવા પણ ખોટી માન્યતામાં ફસાવું નહિ. ] ભૂમિકાનુસાર સન્માર્ગને આરાધવાને બદલે જીવ માને કે શાસ્ત્ર વાચનથી – સ્વાધ્યાયથી શ્રવણથી સમાધાન થઈ જશે તો તે કેવળ શુષ્ક જ્ઞાનમાર્ગ છે. ખરેખર તો જેને સ્વરૂપલક્ષે તત્ત્વ શ્રવણ થતાં અંતર્મુખ થવાનો પુરુષાર્થ થઈ જાય. કષાયમાં મંદતા આવે ત્યારે જીવ વિચારે કે કઈ રીતે અંતર્મુખ થઈ માર્ગે જવું. સાથે નિર્ણય કરતો જાય હું સ્વસ્થરૂપે પરિપૂર્ણ અનંત શક્તિનિધાન છું. આમ પાત્રતાને ૨૨ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy