SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે. વળી ધર્મ વિધિનિષેધરૂપે હોય છે. જેમકે અહિંસા – હિંસા કરવી નહિ. સત્ય – સત્ય બોલવું આચરવું. | [૮૧] આથી શાસ્ત્રનાં વચનો પૂર્વાપર અવિરોધરૂપે હોય છે કેમ કે તે જ્ઞાની દ્વારા પ્રરૂપિત છે. તેઓની વાણી સર્વ આત્માના કલ્યાણ માટે હોય છે જીવની અલ્પજ્ઞતા, અજ્ઞાનતા, સ્વ અભિપ્રાય કે માન્યતાને કારણે વિરોધ ભાસે છે. તેને સમાધાન થતું નથી. જ્ઞાનીના વચનને અનેક પડખાથી જાણે તેમાં રહેલો આશય જાણે તો જ્ઞાનીની વાણી સમજાય અને બહુમાન ઊપજે. | [૮૨] પર પદાર્થની અનુકૂળતામાં સુખના અનુભવનો અભિપ્રાય / માન્યતા છે ત્યાં સુધી બહિર્મુખ વૃત્તિનું વલણ બદલાતું નથી. અંતર્મુખ થઈ શકતો નથી. પર પદાર્થમાં ઈનિષ્ટભાવ હોવાથી ધ્યાનાદિ કરે તો પણ તે આત્મકલ્યાણાર્થે થતાં નથી. પોતે પર પદાર્થથી દેહાદિથી ભિન્ન છે. રાગાદિનો કર્તા નથી, એવા ભેદજ્ઞાનના પ્રયોગ વડે સ્વસ્વરૂપમાં સુખની માન્યતા દઢ થાય તો પર પદાર્થોના સુખનો અભિપ્રાય નષ્ટ થાય. જીવની વૃત્તિનો પ્રવાહ અંતરાત્મા પ્રત્યે વળે. આથી સૌપ્રથમ માન્યતા બદલવી જરૂરી છે. [૪૩] વસ્તુનું પરિણમન સ્વતંત્ર છે. સમ્યગ્દષ્ટિને બંધ નથી એ આ અપેક્ષાએ છે. હું પરમપરિણામિક ભાવસ્વરૂપ અર્થાત્ અપરિણામી છું. આથી સુખદુઃખાદિ થતાં પરિણમનમાં ઈષ્ટાનિઝ બુદ્ધિ થતી નથી. તેથી દ્રવ્યના સ્વતંત્ર પરિણમનમાં તેમને કંઈ વિકલ્પ નથી. જ્ઞાનાદિ ગુણો પણ પોતપોતાનું સ્વાભાવિકપણે કાર્ય કરતા જણાય છે તેથી બાહ્ય વિકલ્પથી સર્વ ઉપાધિરહિત સમ્યગ્દષ્ટિ છે. [૮૪] શાસ્ત્રઉપદેશની કે બોધની પ્રણાલિ સમષ્ટિગત ઉપદેશપદ્ધતિથી કરવામાં આવી છે. વળી વર્તમાન અને ભાવકાળના જીવોની અનેકલક્ષી પાત્રતાને લક્ષમાં રાખીને શાસ્ત્રઉપદેશની રચના થતી હોય તેથી સાધકે ગુરુગમે પોતાની યોગ્યતા પ્રમાણે ઉપદેશ ગ્રહણ કરવો, અપ્રયોજનભૂત અમૃતધારા ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy