SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યંત બહુમાન હોય છે. તેથી જ્ઞાનાદિની નિર્મળતા પ્રાપ્ત થાય છે. વર્તમાન દુષમ કાળમાં જિનવાણી, દ્રવ્યશ્રુત સાધકને સારભૂત [૭] આત્મા સૂક્ષ્મ અને અરૂપી પદાર્થ છે. વળી તેનું સ્વરૂપ વચનાતીત છે. તે શ્રવણ કે ચિંતનનો વિષય પણ નથી, કેવળ સંવેદનરૂપ કે અનુભવાત્મક સ્વરૂપ છે. તો પણ તેને સંકેતરૂપ વાણીથી દર્શાવી શકાય છે. તેનું નિમિત્ત સાધન જિનપ્રતિમાનાં દર્શનપૂજન છે. [૭૮]. યદ્યપિ આત્મ સ્વભાવ એકાંતે અત્યંત પવિત્ર અને અનુભવસ્વરૂપ છે. તેની આંશિક અનુભૂતિ ચોથા ગુણસ્થાનકે સંભવ છે. તેરમા ગુણસ્થાનકે અરિહંત પરમાત્માને પૂર્ણપણે અનુભવમાં, સ્વસંવેદનમાં આવે છે. આવું અનંત સુખરૂપ સ્વસંવેદન પ્રત્યેક આત્મામાં હોવા છતાં કર્મની પરાધીનતા, આવરણથી તે આવૃત છે. તેવા જીવો ઓઘસંજ્ઞાએ, પરંપરાગત પણ જીવનદર્શન કરે તો પણ તેમને શાંતિ મળે છે. [૯] કોઈ માનવ કે પ્રાણી અશાતાથી પીડાતા હોય તેની વેદના જ્યારે જોવામાં આવે ત્યારે જોનારને પણ અશાતાનું કંઈ વેદન થઈ આવે છે. તે કારણે પોતાને દયા-કરુણા ઊપજે છે. આવી જીવની સ્વાભાવિક પ્રકૃતિ છે. તો પછી જે સત્પુરુષો – તીર્થકરોમાં સ્વસંવેદન પ્રગટ થયું છે તેમની પ્રતિમાનાં દર્શન કરનારને પ્રાથમિક ભૂમિકામાં શાંતિ મળે છે અને માત્ર જીવને સુગમતાથી સ્વસંવેદનનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. આવા અત્યંત ઉપકારી પરમાત્માની ભક્તિ દર્શનમોહ – સ્વચ્છેદ દૂર કરવામાં સહાયક છે. [૮] જડ ચેતન પદાર્થો અનેક ધર્માત્મક છે. પરસ્પર વિરુદ્ધ ભાસતાં લક્ષણો પદાર્થોમાં સમન્વયરૂપે રહ્યાં છે. એટલે વાસ્તવમાં વિરુદ્ધતા નથી. પણ વસ્તુ સહજ સ્વરૂપ છે. જેમ આત્માનું નિત્યપણું અને અનિત્યપણું. દ્રવ્યથી નિત્યપણું છે, અવસ્થાના રૂપાંતરથી અનિત્યપણું ૨૦૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy