SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ તે અહીં તહીં ભમે નહિ પણ એક સ્થાને અચલ રહે છે. તે પ્રમાણે જીવ જ્યાં સુધી નિશ્ચય વ્યવહાર સાથે તન્મય છે, તેના ભેદપ્રભેદમાં ગૂંથાયો છે ત્યાં સુધી તે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. પરંતુ જ્યારે જીવની કાળલબ્ધિ પાકે છે, ત્યારે વ્યવહાર નિશ્ચય બંને પક્ષ ગુરુગમ દ્વારા નિર્મુળ થઈ જાય છે. જીવનયાતીત દશા પામે છે ત્યારે તેનું ચારે ગતિનું પરિભ્રમણ ટળે છે, અને સ્વસ્વરૂપમાં અચલ અને સ્થિર રહે છે. [૮૭૪] જ્ઞાની થવું, હોવું, કહેવડાવવું મોટી વાત નથી, પણ જ્ઞાનીની દૃષ્ટિએ જ્ઞાની થવું એ બહુ કઠિન છે. કારણ કે વિદ્વત્તા, બુદ્ધિના ક્ષયોપશમથી વિદ્વાન બની શકે પણ અનુભવી જ્ઞાની ન બની શકે. જ્ઞાનીની અંતર પરિણતિ પલટાઈ જાય છે. [૮૭૫] “વાકપટુતા એ વિદ્ધા, જન મન રંજન હેત પરમારથ પરખે નહિ શાશ્વત પદ કર્યું લેત ?” જે જ્ઞાનથી અંતરની પરિણતિ સુધરે નહિ, જે જ્ઞાન મળ્યા પછી સમજ આવે નહિ, વિષયોની વિરક્તિ થાય નહિ, કષાયો ઉપશાંત થાય નહિ તે જ્ઞાન જ્ઞાન નથી. પાણીમાં રહેલ પથ્થર જેવું છે. કૂણાશ આવે નહિ. ૮િ૭૬] સમ્યગુજ્ઞાન વિનય અને સમજણપૂર્વકનું છે. દૂધમાં ભળતી સાકર સમાન છે, સન્ની જિજ્ઞાસા છે. સમ્યગૃજ્ઞાન જીવનમાં ભળે એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. [૮૭૭] “સદ્ગુરુ કહે સહજ કા ધંધા વાદવિવાદ કરે સો અંધા.” દિગંત - બુદ્ધિમાનને વિનયના ચમત્કારો નહિ સમજાય એ શિષ્યની સ્મૃતિ ઘણી મંદ. પોતાની આ નબળાઈનો સ્વીકાર કરી તે ગુરુની સેવા પૂરા દિલથી કરે. ગુરુએ તેને ભણવા બેસાડ્યો લગભગ પચીસ વાર પાઠ આપ્યો, પણ વ્યર્થ. ગુરુ કંટાળ્યા. કહે, જા પોથી વિગેરે બાંધીને ઊંચે મૂકી દે, અને સૂઈ જા. સરળ હૃદયી શિષ્ય વિયા ૨૪૦ ૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy