SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અરે આ પંચભૂતથી આત્મા છૂટો પડે છે પછી પણ આ પંચભૂત, પંચભૂતને હવાલે થાય છે. અગ્નિ સંસ્કાર માટે અગ્નિતત્ત્વને સોંપાય છે. શબને પૃથ્વી તત્ત્વને સોંપવામાં આવે છે. જળસમાધિ લેનાર જળતત્ત્વને હવાલે કરાય છે. જંગલમાં કે કૂવામાં ઉતારી દેવામાં વાયુતત્ત્વને હવાલે કરાય છે. સર્વત્ર આકાશરૂપ વાતાવરણ હોય જ છે. આમ આત્મા અને દેહ તદ્દન ભિન્ન તત્ત્વ છે તે સમજાય છે. [૮૭9] અશાતાના ઉદયમાં આ પંચભૂતનો કોપ જોવામાં આવે છે. પૃથ્વીતત્ત્વની માત્રા વધી જાય તો પથરી થાય, હાડકા વધી જાય. જળતત્ત્વનો કોપ થાય તો જળોદર જેવા રોગ થાય. અગ્નિતત્ત્વનો કોપ વધે તો દાહજ્વર કે એસિડિટી જેવા રોગ થાય. વાયુનો કોપ થાય તો પેટમાં ગેસ ભરાઈને પીડા થાય. આકાશતત્ત્વનો કોપ થાય તો શરીર વધુ સ્થૂલ થતું જાય. [૮૭૧] કુદરતમાં આ પંચભૂતનો પ્રકોપ થાય છે. પૃથ્વીના પ્રકોપથી ધરતીકંપ થાય. જળતત્ત્વના પ્રકોપથી નદીઓના પૂર આવે, અતિવર્ષ થાય. અગ્નિતત્ત્વના કોપથી જંગલોમાં, ડુંગરામાં દાવાનલ લાગે. વાયુતત્ત્વના કોપથી વાવાઝોડાં થાય. આકાશતત્ત્વના કોપથી વાતાવરણમાં રોગચાળો ફેલાય. પૌદ્ગલિક જગતમાં પણ આ પ્રમાણે દ્રવ્યના સ્વતંત્ર પરિણમન હોય છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતું [૮૭૨] જો પંચભૂતના આ શરીરપિંડથી સ્વસ્વરૂપ સમ્યગુ જ્ઞાનમય પરમાત્મા તન્મયપણે હોત તો કોઈ જીવ ક્યારે મરે નહિ કારણ કે પરમાત્મા સ્વભાવથી અમરણા – અવિનાશી છે. વળી આ લોકાલોક જગત સંસાર દેખાય છે તેની સાથે સ્વસ્વરૂપમય પરમાત્મા તન્મય હોત તો જીવમાત્રને પરમાત્મ સ્વરૂપ પ્રગટ જ હોત. [૮૭૩] જ્યાં સુધી પક્ષી બે પાંખવાળું છે, પાંખ સાથે તન્મયી છે ત્યાં સુધી તે અહીંતહીં ભમે છે. પરંતુ જો તેની પાંખો ખંડિત થાય તો અમૃતધારા ૨૩૯ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy