SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ બધા જ કુટુંબીજનોનો નિર્વાહ સંપૂર્ણ રીતે રાજ્ય તરફથી કરવામાં આવશે. તમારા ત્યાગની અત્યંત અનુમોદના કરું છું. આ ધર્મીનું લક્ષણ છે. [૮૬૦] મૃગ આદિથી ભરેલા વનમાં આગ લાગે ત્યારે કોઈ માનવ વનની મધ્યના એક વૃક્ષ પર ચઢી જાય, અને અગ્નિમાં ભસ્મીભૂત થતાં પ્રાણીઓના દુઃખને નિહાળે પણ તેને ખબર નથી કે થોડી વારમાં એ અગ્નિ મને અને આ વૃક્ષને પણ ભસ્મીભૂત કરશે. તેમ અજ્ઞાની જીવ ધનાદિકના નિમિત્તે અન્યને દુ:ખી થતાં જુએ છે ત્યારે પોતે પોતાને સહીસલામત માને છે. તે વિચાર કરતો નથી કે આવી વિપત્તિઓ મને પણ આવશે. એક વાર કાળ તેનો પણ કોળિયો કરી જશે. [૮૬૧] ધનિકો લોભવશ વ્યાજની કમાણી માટે કાળ પસાર કરવાની ઇચ્છા રાખે છે કે કાળ જશે તેમ મને વ્યાજ વધુ મળશે, પણ ત્યારે તે વિચારતો નથી કે દિવસો વધશે ત્યારે વ્યાજ વધશે પણ તેટલો સમય મારા આયુષ્યનો ઓછો થશે. ધનના લોભમાં જીવને તે મરણ ત૨ફ દોડે છે તેનું તેને ભાન નથી. [૮૬ ૨] જેમ અગ્નિમાં ગમે તેટલાં કાષ્ઠ નાંખો, અગ્નિ ધરાતો નથી વધુ પ્રદીપ્ત થાય છે. સાગરમાં ગમે તેટલી નદીઓનાં નીર ઠલવાય સમુદ્ર અતૃપ્ત જ રહે છે. તેમ ધનાદિકની તૃષ્ણા ગમે તેટલા ભોગપદાર્થો મળે પણ તૃપ્ત થતી નથી. [૮૬૩] આત્મસ્વરૂપ સ્વયં એવું આશ્ચર્યકારી છે કે તેનું જ્ઞાન-ભાન થતાં વિષયો પ્રતિ ભોગબુદ્ધિ ઉત્પન્ન થતી નથી. જેમ જેમ યોગી સાધકને સ્વાનુભવરૂપ સ્વસંવેદનમાં આત્માનો આનંદ આવે છે તેમ તેમ સુલભ્ય રમ્ય વિષયો તરફથી તેમનું મન હટતું જાય છે. તે સુંદર લાગતા વિષયો તેમને આકર્ષી શકતા નથી. આધ્યાત્મિક આનંદ આગળ વિષયભોગોનો આનંદ તુચ્છ અતિ વ્યર્થ લાગે છે. વિષયોની વિરક્તિ જ યોગીને સ્વાત્માનુભવને પ્રગટ કરે છે. (ઇષ્ટોપદેશ) [૮૬૪] અમૃતધારા * ૨૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy