SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ નય આદિ રહિત છે પરંતુ સ્વસમ્યગુજ્ઞાનાનુભવી છે તે સંસારસાગરથી પાર ઉતારી દે છે. | [૮૫૬] એક બાળક માટીના ખોટા બળદ સાથે પ્રીતિ કરે છે અને ખેડૂતનો બાળક સાચા બળદ સાથે પ્રીતિ કરે છે. પરંતુ ખોટા સાચા બંને બળદ પર પ્રીતિ કરવાવાળા બંને બાળકો દુઃખી છે કારણ કે ખોટા બળદને કોઈ તોડે તો બાળક પ્રીતિને કારણે દુઃખી થાય છે અને સાચા બળદને કોઈ પીડા આપે તો ખેડૂતનો બાળક દુઃખી થાય છે. આમ રાગને કારણે બંને દુઃખી છે. [૮૫]. એક જ વાર તૃપ્ત થયો છે જે અનંતજ્ઞાન શક્તિનો ભેદ તેનાથી હવે પલટતો નથી. પોતાની જ્ઞાનશક્તિ વડે બાહ્ય પરરૂપ શેય પદાર્થોમાં રાગભાવ કરતો નથી, નિશ્ચય આત્મજ્ઞાનના વિવેક વડે સ્વરૂપ સન્મુખ થયો છે. તેવો પરમાત્માનો આરાધક પુરુષ છે તે જ ભગવાન આત્મા છે. અવસ્થાભેદથી સાધ્ય-સાધક ભેદ છે. [૮૫૮] છોડ પર ગુલાબ છે અને કાંટો પણ છે. ગુલાબ કરમાય છે કાંટો કરમાતો નથી. તેમ ધર્મમાર્ગે જતાં સજજનને સહેવું પડે. અધર્મી કે દુર્જનને સહેવાનું નથી. કાંટો પુષ્પની સુવાસ સાથે હોય છે પરંતુ સુવાસને માણી શકતો નથી. તેમ અધર્મી ધર્મનું સુખ માણી શકતો નથી. પુષ્યને મસળો અત્તર બની જશે. કાંટો મસળવાની હિંમત પણ ન કરાય. તે મસળાય નહિ, તમારા હાથને પીડા પેદા કરે. આમ કાંટા જેવા અધર્મી અન્યને પીડા પેદા કરે છે. ભલે કાંટો ગુલાબ સાથે પેદા થયો પણ વ્યર્થ. તેમ મનુષ્ય ભલે નરદેહ પામ્યો પણ વ્યર્થ. શ્રેણિક મહારાજાએ રાજ્ય છોડ્યું નહિ, પુત્રે જુલમથી છોડાવ્યું છતાં તેમની પાસે કયું બળ હતું કે જેથી તેઓ સંસારથી તરી ગયા? શ્રેણિકમહારાજાને ત્યાગ ન હતો, પણ રાગનું દુઃખ હતું. સુખનો રાગ છોડવા જેવો છે તેવી દઢ શ્રદ્ધા હતી. તેથી તે નગરજનોને જાહેર કરતા કે જેને ભગવાન પાસે દીક્ષા લેવી હોય તે લઈ લો તમારા ૨૩૬ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy