SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનની પ્રણાલીમાં ચાર અનુયોગ છે. અર્થાત્ અરિહંત પરમાત્માના કલ્યાણકારી ઉપદેશનો ચારમાં સમાવેશ થયો ૧. ધર્મકથાનુયોગ ૨. ગણિતાનુયોગ ૩. દ્રવ્યાનુયોગ ૪. ચરણાનુયોગ. [૮૨૮] ૧. ધર્મકથાનુયોગ – જેમાં ધર્મ પમાય તેવી કથાઓ હોય. જે મહાત્માઓ સંસારના બંધનથી છૂટી મુક્તિ પામ્યા, જીવનને સાર્થક કર્યું તેવી કથાઓ અર્થાત્ ઇતિહાસની રૂપરેખા [૮૨૯] ૨. ગણિતાનુયોગ – જેમાં પૃથ્વી પરનાં સ્થળોનું તથા સૂર્યાદિનું સંખ્યાયુક્ત વર્ણન. ભૂગોળજનક કથન છે. કર્મ સિદ્ધાંતો [૮૩૦] ૩. દ્રવ્યાનુયોગ – જેમાં દુનિયાની સમગ્રતા જણાવતાં તત્ત્વો, પદાર્થોનું યથાર્થ વર્ણન, સૃષ્ટિના સર્જન – વિસર્જનનાં રહસ્યો છે. જડચેતન પદાર્થોનું યથાર્થ સ્વરૂપ છે. [૩૧] ૪. ચરણાનુયોગ – ચારિત્ર, આચરણનું વર્ણન. ચારેમાં મુખ્યતા ચરણાનુયોગની છે. પહેલા ત્રણ ન જાણે પણ ચારિત્રની શુદ્ધિ, તેને માટેની સક્રિયાને અવલંબે તો ત્રણે અનુયોગ તેને ફળદાયી [૮૩૨] કોઈ કહે કે હું તો સાહિત્ય, ઐતિહાસિક પ્રમાણમાં ખૂબ ઊંડો ઊતર્યો છું. તેને પૂછો તેમાં તને આત્મસંયમ, આત્મશુદ્ધિ કેટલી થઈ? જો તેનો જવાબ નથી તો ધર્મકથાનુયોગ જાણ્યો વ્યર્થ છે. [૮૩૩] કોઈ કહે હું ગણિતાનુયોગને જાણું છું. ધરતી, આકાશ પેટાળ બધાનાં આંકડે આંકડા મોઢે છે. તેને પૂછો તેમાં આત્મસંયમ વૈરાગ્ય કેટલો સધાયો? જો “ના” છે તો ગણિતાનુયોગના આંકડા જાણ્યા વ્યર્થ [૮૩૪] છે અમૃતધારા ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy