________________
કોઈ કહે કે એ બધું જવા દો હું દ્રવ્યાનુયોગનાં તત્ત્વને જાણું છું આત્મા દેહથી જુદો છે, તેના પાઠો કંઠસ્થ બોલે. તેને પૂછો તારો અનુભવ કેટલો ! હજી રાગ અને વૈરાગ્ય ઘર આદિ અને સંયમના ભેદ જ સમજ્યો નથી. આચરણ તથા ફેરા તો સંસારમાં જ ફરે છે તો તે દ્રવ્યાનુયોગ જાણ્યો વ્યર્થ છે.
[૮૩૫] કોઈ કહેશે મોહનીય પર આત્મજ્ઞાન વડે ઘા કર્યો છે, એ ઘા ક્યાં વાગ્યો છે ભાઈ ! જ્ઞાનની દિશાએ ચાલવાનું, આત્મસંયમની આડે આવે તે બધું છોડતા જવાનું. અરે મહાત્માઓ તો દેહનો નેહ છોડીને ઉપસર્ગોને સહીને ચારિત્રમાં દઢ રહીને મુક્તિ પામી ગયા. એમાં હેય ઉપદેયનો વિવેક હોય તો બધા જ અનુયોગ જાણ્યા સાર્થક છે. બાકી વ્યર્થ છે.
[૮૩૬] સંયોગવિયોગ સુખ દુઃખ, જન્મ-મૃત્યુ, સાચાખોટા, આ સર્વે બંધ છે. સમયના વહેણમાં વહી જતી પ્રારબ્ધની લહેરો છે. તેની અનુકૂળતામાં સુખ અને પ્રતિકૂળતામાં દુઃખ ન માનતા પ્રારબ્ધવશાત્, જે આવે તેને સમત્વથી સ્વીકારી લે. વાસ્તવમાં દુઃખ ભોગવ્યા વગર કર્મ નષ્ટ થતાં નથી. તેમ નહિ માને તો માનસિક ચિંતાથી ઘેરાઈને દુઃખમાં વધારો થશે. અજ્ઞાની પ્રારબ્ધ કર્મમાં દુઃખથી મૂંઝાય છે. સુખને ચોંટી જાય છે તેથી સુખદુ:ખના કંથી મુક્ત થતો નથી. [૮૩૭].
જ્ઞાનીનું પ્રારબ્ધ મોટે ભાગે પુણ્યયુક્ત બળવાન હોય છે પણ જ્ઞાની તેના કર્તાભોક્તા ન થતાં અંતરથી સાક્ષી રહે છે. દુઃખને તો સહજતાથી ભોગવી નષ્ટ કરે છે. જ્ઞાની પુણ્ય પ્રારબ્ધના યોગથી છેતરાતા નથી, લેપાતા નથી કારણ કે તેમના જ્ઞાનરૂપી પ્રકાશમાં સત્યનો એકરાર રહ્યો છે. તે પ્રકાશ તેમને દંભ અને પ્રપંચથી બચાવે છે. અધ્યાત્મસારમાં દંભત્યાગ અધિકારમાં મુનિજનોને ગ્રંથકારે આ જ ચેતવણી આપી છે.
[૮૩૮] અન્ય જીવોને તેના કોઈપણ પ્રાણને હણવા તે હિંસા છે, અપરાધ
૨૩૦ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org