SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગ” અપેક્ષાએ જોઈએ તો આજે દર્શન એ પૂજન, યાત્રામાં સમાઈ જાય છે. અને બહારમાં ચારિત્રની ક્રિયાનો જેટલો ખપ-રસ જણાય છે તેટલો જ્ઞાનમાં જણાતો નથી. પૂજાદિ ન થયા તો વારંવાર બોલ્યા કરશે, જીવ બાળ્યા કરશે. પણ જ્ઞાન ન ભણ્યો તો કાંઈ વાંધો નહિ. વળી જ્ઞાન ભણવાનો નિયમ પણ નહિ. પૂજા કર્યા પછી નવકારશી વિગેરેનો નિયમ ખરા, પ્રતિક્રમણાદિ કરવાનો નિયમ ખરો પણ જ્ઞાન ભણવાનો કોઈ નિયમ નહિ. જીવ સમજતો નથી કે જ્ઞાનથી દર્શનચારિત્રની ક્રિયા શુદ્ધ થશે. જ્ઞાન જાણતા ભેદજ્ઞાન થશે, બોધ પ્રાપ્ત થશે તો સમકિત થશે. પૂજાદિ કરવામાં જ્ઞાન જોઈશે. જયણા જેવી ક્રિયામાં જ્ઞાન જોઈશે. જ્ઞાનમાં ઉપયોગમાં સ્થિર થાય તેમ સ્વરૂપલક્ષ દેઢ થાય. ૮િ૨૫] ઇન્દ્રિયજન્ય જ્ઞાન કે ઇન્દ્રિય દ્વારા જે ભોગ્ય છે તે સ્પર્ધાદિ સંસારનો અનુભવ છે, એ દશ્યમાન છે. પરંતુ શાસ્ત્રો દ્વારા સાંભળેલા સ્વર્ગાદિની કલ્પના તે પરોક્ષ અનુભવ છે. ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જણાયું તેની પાછળ જીવે સુખ માટે આંધળી દોડ મૂકી, ત્યાં કંઈક થાક્યો ત્યારે વળી સ્વર્ગાદિના સુખના વર્ણન સાંભળી પુણ્યકાર્યો કરવા દોડ મૂકી. બંને દોડ વ્યર્થ છે. આત્મિક સુખ એ રીતે પ્રત્યક્ષ નથી અને પરોક્ષ પણ નથી. સ્વસ્વરૂપપ્રાપ્તિ અપરોક્ષ છે. [૮૨૬] સ્થૂલદષ્ટિએ, સંસ્કારથી સાંસારિક પદાર્થોનો અનુભવ થાય. વળી સાધનામાર્ગમાં સૂક્ષ્મદષ્ટિ વડે તે સ્વર્ગાદિ જેવી સૃષ્ટિને અનુમાન દ્વારા જાણે તે પરોક્ષ અનુભવ છે. તત્ત્વદૃષ્ટિ જ માત્ર સ્વસ્વરૂપનું સંવેદનજનિત અનુભવ કરે છે. તે ઉપર મુજબ પ્રત્યક્ષ કે પરોક્ષ નથી; બંનેથી ઉપરનો અનુભવ છે જે પારલૌકિક કે લોકોત્તર છે. અભેદદષ્ટિ જ જ્ઞાનસ્વરૂપ અભેદ આત્માનો અનુભવ કરે છે. સંસારના તંદ્ર જેવો જ્યાં ભેદ નથી માત્ર નિરામય, અભેદ પૂર્ણ આનંદ સ્વરૂપ અસ્તિત્વ [૮૨૭] ૨૨૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy