SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ વડે સંભવ છે તો પણ હૃદય વજ જેવું બનાવવું પડે છે. [૮૦૫] અનાદિની પરિભ્રમણની શૃંખલા તોડવા માટે પ્રમાદ ન ચાલે અને અધીરજ પણ ચાલે. કેવળ સમતોલપણે માર્ગે આગળ વધવું પડે છે. આ કેવળ આત્મહિતનો માર્ગ છે તેમાં સર્વ જીવરાશિના મંગળની – કલ્યાણની ભાવના પણ હોવી જરૂરી છે. તે જિનાજ્ઞાને અનુસરનારી માનવી. [૮૦૬] સંસારમાં રહેલા મોક્ષાર્થીને પ્રારંભમાં મૂંઝવણ હોય છે તે એ કુટુંબ સ્વજનાદિ પ્રત્યેના સ્નેહને ત્યજીને મનને તેમાંથી મુક્ત કરવામાં કઠોરતા જેવું લાગે છે. આત્મહિતના ચાહકે સ્વજનાદિ કુટુંબના સ્નેહને ત્યજવો પડે છે કેમકે તે સત્સંગાદિમાં બાધક છે. સંસારના સગપણની મૂછ સત્સંગાદિ આધ્યાત્મિક ક્ષેત્રના અભ્યાસને નિષ્ફળ બનાવે છે. કુટુંબ સ્વજનાદિ પ્રતિબંધકનું કારણ છે તે વાત જીવને સંસારના સુખના સૂક્ષ્મ વિભાવોની ઓળખ ન હોવાથી તેનો પુરુષાર્થ સ્વલક્ષરહિત મનુષ્યજન્મને ગુમાવી દે છે. [૮૦૭] રાગથી ભિન્ન પોતે જ્ઞાન સ્વભાવી છે તેમ વારંવાર ઘૂંટણ થવું જોઈએ. રાગનો અભ્યાસ એવો થયો છે કે જીવ ક્યારેય તેનાથી નવરો થતો નથી પરંતુ રાગરહિત સ્વભાવને લક્ષ્યમાં રાખીને સ્વસત્તામાં રહી સ્વરૂપને જ જાણવાના પુરુષાર્થથી રાગનું એકત્વ છૂટે તે ભેદજ્ઞાન [૮૦૮] ભલે સ્વરૂપ અનુભૂતિ ન હોય ત્યારે વિચારદશાએ પણ સત્ય સમજવાની / સ્વીકારવાની નિરાગ્રહી ભૂમિકા જોઈએ. વળી અંતર્મુખ થતો જ્ઞાનઉપયોગ | વિચારધારા સ્વઆશ્રયે સ્વરૂપનો નિર્ણય કરે છે, તેમાં અનંત શક્તિમાન સ્વરૂપનું, પરિપૂર્ણતાનું ભાવભાસન હોય છે. તે એ કે હું તો સદાય આવો જ પરિપૂર્ણ છું. તેના મહિમાનો ઉમંગ તેને વર્તે છે ત્યારે શુભાશુભ કર્મમાં જોડાવું તેને પોષાતું નથી. [૮૦૯] ધર્મધ્યાનની લશ્રુતિ નિર્વિકલ્પ સમાધિ છે. અર્થાતુ નિર્વિકલ્પ અમૃતધારા ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy