SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્નશીલ બનતો નથી. [20] પરંતુ ચેતનામાં આધ્યાત્મિક વસ્તુનું ખરું ભાન પ્રગટે છે ત્યારે નિંદ્ય અને અહિતકારક કોઈપણ પ્રવૃત્તિ કરતાં સાધકને તે ભાન રોકે છે. તત્ત્વદૃષ્ટિનું આ સ્વાભાવિક પરિણામ છે. વળી તત્ત્વદૃષ્ટિ સાધક હેય-ઉપાદેય, સત્યાસત્ય જેવા વિકલ્પની ડામાડોળ સ્થિતિ છોડી સ્થિર અને સુનિશ્ચિત બને છે. તેથી ચિત્તની શક્તિ વ્યર્થ વેડફાઈ જતી નથી. તેનો વિનિયોગ વ્યવહાર અને પરમાર્થ બંને ક્ષેત્રમાં જન્મજન્માંતરમાં ઉપકારક થાય છે. તત્ત્વદૃષ્ટિની નીપજ ચિત્તશુદ્ધિ છે. [૮૦૧ - સાધકમાં જો આંતરિક શુદ્ધિ ન હોય અને અન્ય શુભ ભાવના નિમિત્તથી પુણ્ય ઉપાર્જન કરે તો પણ તેનું મૂલ્ય માટીના ઘડા જેવું છે. અર્થાત્ ઘડો ફૂટે ઠીકરા થાય તેનું કંઈ મૂલ્ય નહિ પુણ્ય ભોગવે પાપ બાંધે તેનું કંઈ મૂલ્ય નહિ પણ આંતરિક શુદ્ધિવાળાનું પુણ્ય મૂલ્યવાળું છે પુણ્યાનુબંધી પુણ્ય) તે સુવર્ણઘટ જેવું છે. એટલે કે સુવર્ણનો ઘડો ફૂટે તોય મૂલ્ય તો સોનાનું જ મળે. આંતરિક શુદ્ધિવાળો સંસારમાં રહે તો પણ તે અંતરથી લપાતો નથી. [૮૦૨] “હ હૈ ભલા, યહ હૈ બૂરા, યહ પુણ્ય હૈ યહ પાપ હૈ, વહ લાભ હૈ યહ હાનિ હૈ યહ શીત હૈ, વહ તાપ હૈ, યહ ગ્રાહ્ય હૈ, વહ ત્યાજ્ય હૈ, યહ આદ્ય હૈ. યહ જાય હૈ, ઇસ ભાંતિ સબ મનકી કલ્પના, યહી બંધન કહલાય હૈ.” [૮૦૩] આ તત્ત્વદૃષ્ટિ જેમ જેમ વિકાસ પામે તેમ તેમ જીવની ભ્રામક કલ્પના છૂટતી જાય. પોતે એક મુક્ત તત્ત્વ છે તેવું શ્રવણ, મનન, ચિંતન કરી બાહ્ય ભાવથી થોડો ખસે તો આગળનો માર્ગ ખૂલે. [૮૦૪] જન્મમરણની જાળ તોડવા માટે અસાધારણ નિશ્ચય બળ, આત્મશક્તિ જોઈએ છે. મુનિને માટે પણ કઠણ એવો આ માર્ગ. સંસારી માટે અતિ દુર્લભ છે. સ્વજનોના સ્નેહપાશ, તેમનાં મંતવ્યો પરમાર્થમાર્ગમાં અવરોધક થાય છે. તેની સામે ટકી રહેવાનું બળ ગુરુકૃપા ૨૨૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy