SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેથી શીઘતાએ મોક્ષમાર્ગમાં પ્રયાણ કરે છે. [૭૭૩), અજ્ઞાની જીવ વિષય સેવન કરે છે ત્યારે વિષયોથી લેપાય છે પરંતુ જ્યારે વિષયોનું સેવન કરતો નથી ત્યારે પણ તે સંસ્કારોથી કે તે વિષય પ્રત્યેના આકર્ષણથી વિષયના અસેવનકાળમાં પણ ભાવથી તે વિષયોને સેવે છે. ભલે દ્રવ્યથી વિષયોને નથી સેવતો. પણ ભાવથી સેવે છે. જ્યારે જ્ઞાનીને વિષયસેવનમાં સુખ નથી એ વિવેક થયો હોવાથી વિષયના સેવનનો પરિણામ નથી. તેથી તે જ્ઞાની વિષયોને સેવતા હોવા છતા સેવતા નથી. તે કોઈ વિશેષતા છે સામાન્ય જીવને આવું બળ હોતું નથી. [૭૭૪] જ્ઞાની – સમ્યગુદૃષ્ટિને ચારિત્રની અસ્થિરતાવશ પરપદાર્થો પ્રત્યે ઉપયોગ આકર્ષિત થવા છતાં શ્રદ્ધાબળે તેમાં સુખબુદ્ધિ થતી નથી, પરંતુ તેને દુઃખરૂપ અનુભવે છે. ઉદય નહિ નબળાઈ માને છે. તે વિચારે છે ભૂતકાળમાં પણ પરપદાર્થોમાં જે સુખ મનાયું હતું તે અજ્ઞાનતા હતી. તેથી વર્તમાનમાં તે ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે તે જાગૃત છે. હજી સાધકદશા હોવાથી આકાંક્ષા થાય તોપણ તે રસવિહીન હોય છે. અને તેને અંતરમાં દુઃખરૂપે અનુભવે છે. રાગ થઈ જાય પણ રાગનો રાગ/સુખભાવનો નિષેધ વર્તે છે. [૭૭૫ જ્ઞાની-સમ્યગ્દષ્ટિને પૂર્વોપાર્જિત અશુભ કર્મોના ઉદયે રોગાદિ કે પ્રતિકૂળ સંયોગો આવે ત્યારે સ્વરૂપની પ્રતીતિના બળે કર્મની નિર્જરારૂપ પુરુષાર્થ ઊપડે છે. અજ્ઞાની જીવોની જેમ ત્યારે અન્ય મંત્ર તંત્રાદિનો કે કુદેવાદિનો આશ્રય લેતા નથી. વીતરાગના માર્ગને અનુસરી જે કંઈ ઔષધાદિ કરે તો પણ ઉદાસીન ભાવે વર્તે છે. આરંભ પરિગ્રહ ઘટાડી સક્રિયામાં, દાનાદિમાં નિસ્પૃહભાવે પ્રવર્તે છે. [૭૭૬]. સમકિત આત્મા પરમાર્થથી સ્વયંના પરિણમનમાં માર્ગને અનુસરી સહજ પરિણમે છે. છતાં વ્યવહારમાં ગૃહસ્થપણે રહી ધર્મની – દાનાદિની મર્યાદા છોડીને પરિણમતા નથી. આવું સહજ પરિણમન અમૃતધારા ૨૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy