SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અસંગ છું. આવું જ્ઞાન મુક્તિનું અનિવાર્ય અંગ છે. [૭૬૭] સત્પુરુષની વાણી. આત્મકલ્યાણનું પ્રબળ નિમિત્ત છે. જીવની તથારૂપ પાત્રતા હોય તો તે લક્ષ્ય સિદ્ધ થાય છે. જ્યારે કોઈ જીવને જ્ઞાની – સત્પુરુષમાં વિશ્વાસ આવતો નથી ત્યારે તે કરૂણાશીલ જ્ઞાની અન્ય જ્ઞાનીનો નિર્દેશ કરે છે કારણ કે સામાન્યપણે જીવને જ્ઞાની – સત્પુરુષને ઓળખવાની દૃષ્ટિ – ક્ષમતા હોતી નથી. ત્યારે સત્સંગાદિ ફળવાન થતાં નથી. કારણ કે પૂર્વે જે કંઈ શ્રવણ કર્યું છે તેના પ્રતિભાવોથી તે ભરેલો છે તેથી તેને સત્પુરુષની વાણીમાં શ્રદ્ધા થતી નથી ત્યારે જ્ઞાની તેને અન્ય જ્ઞાનીનો નિર્દેશ કરી નિઃસ્પૃહભાવે કલ્યાણ કરે છે. [૭૬ ૮] શાસ્ત્રવાચનથી કે શ્રવણથી જીવ સ્વરૂપની કલ્પના કરે તો તેટલા માત્રથી શુદ્ધાત્મા પ્રત્યે પુરુષાર્થ પ્રગટતો નથી. તે સ્વરૂપનું ગમે તેવું વર્ણન કરે તો પણ સ્વરૂપની સમીપે પહોંચતો નથી. વળી એકાંત શુદ્ધાત્માનું કથન અને વર્તમાન દશાનો કોઈ મેળ થતો નથી ત્યારે તે નિશ્ચયાભાસી થાય છે. તે સમયે સમ્યગુજ્ઞાનીનો સંપર્ક કરી યોગ્યતા કેળવવી. [૭૬૯] જ્ઞાતાદ્રષ્યપણાનું ભાન ન હોવાથી જીવ રાગદ્વેષાદિનું કર્તુત્વ માને છે. સમ્યકજ્ઞાનની પ્રથમ ભૂમિકામાં અને સમ્યક જ્ઞાન થયા પછી સાધક દેવ, ગુરુ, ધર્મ કે શાસ્ત્રાદિના મહિમાને ગૌણ કરતો નથી. તે મહિના શુભ રાગ પ્રધાન હોય છે છતાં તેમાં તે કર્તુત્વપણાનું અહં ન કરતાં સંતુલન જાળવે છે, તેવી કુશળતા, તીક્ષણતા સદૃષ્ટિવાનને હોય છે, પરંતુ જો તે આવાં પ્રશસ્તભાવના પ્રયોજનને ન જાણે તો નિશ્ચયાભાસી થઈ દેવ, ગુરુ આદિનો અપલાપ કરી અવિનય કરે છે અને વ્યવહારમાં જ કર્તુત્વ માનનાર બાહ્યક્રિયામાં ધર્મ માની મૂળ લક્ષ્ય ચૂકી જાય છે. આની સૂક્ષ્મરેખા ગુરુગને જાણવી. [૭૭૦] સંપત્તિહીન દરિદ્રી માણસ ચિંતામણિ રત્નના સ્વરૂપને જાણતો અમૃતધાર ૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy