SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્નપણું અનુભવમાં આવે, ત્યારે સ્વમાં એકત્વપણું થતાં સહજ ચૈતન્યભાવ પરિણમે છે. હું તો કેવળ જાણનાર છું. તેવા ભાવે અંતર સાવધાન હોવાથી અન્ય ભાવ સહજ છૂટી જાય છે. જ્ઞાનચેતના સ્વયં નિર્વિકલ્પ છે એ દશાને યોગ્ય થવા મુમુક્ષુને પ્રારંભમાં સવિકલ્પ જાગૃતિ હોય છે તો પણ તેમાં સ્વરૂપની મુખ્યતા છે. તેવી દશા સદ્ગગમે થવા યોગ્ય છે. સ્વભાવનું વિસ્મરણ કરી ઉદયભાવમાં હુંપણું માનવું તે અજ્ઞાનતા છે. તે અનંત સંસારનું બીજ છે. [૨૧] જીવે કંઈ સદ્દગુરુના વચન શ્રવણ કર્યા નથી તેવું નથી સદ્ગુરુના બોધના યોગમાં જીવના દર્શનમોહનું બળવાનપણું હોવાથી બોધ પરિણામ પામતો નથી. એ બોધમાં આદર કે માહાસ્ય ન હોવાથી નીરસપણે શ્રવણ કરે છે. આમ જીવનો સમય પ્રમાદમાં વહ્યો જાય છે. જો જીવ પ્રસન્ન ભાવે આદરપણે બોધને ગ્રહણ કરે તો તેનું આત્મહિત થવું સંભવ છે. સત્પુરુષનો સમાગમ થવો દુર્લભ છે તેની આજ્ઞાથે ચાલવું તે તો અસિધારાવત્ છે. [૭૨] જે જીવ છૂટવાની અભિલાષાવાળો હોય તે તો સન્માર્ગના ઉપાયોને શોધે, ત્યારે તેને કોઈ સદ્દગુરુનો યોગ મળે છે ત્યારે તેમના બોધમાં તેને એ માર્ગનો ઉપાય સહેજે મળે છે. વળી સગુરુનો મહિમા આવતાં સ્વરૂપ પ્રાપ્તિની ઝંખના વૃદ્ધિ પામે છે. જ્ઞાનીજનોએ તત્ત્વોની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે. તેમાં નવ તત્ત્વમાં ગુરુપણે રહેલી અખંડ આત્મજ્યોતિને દૃષ્ટિમાં લે તે મુખ્યતા છે. નવ તત્ત્વ તો જીવની પલટાતી પર્યાય – અવસ્થા છે. તેમાં સ્વસ્વરૂપે જે અખંડ ધ્રુવ ચૈતન્યસત્તા છે તેને સ્વીકારે તો શ્રદ્ધા પરિણતિરૂપે સ્થિર થાય. આથી શ્રદ્ધા કર્તવ્ય છે. [૨૪] વિષયાકારે મનનું પરિણમવું નહિ તે “શૂન્ય મન' કહેવાય, તેમ કરી શુદ્ધાત્મામાં પરિણમવું તે કર્મક્ષયનો ઉપાય છે. જેનું મન રાગાદિના તરંગો વિનાનું શાંત છે, તે જ આત્મતત્ત્વને પ્રાપ્ત કરે છે. વિક્ષેપરહિત ૨૦૨ - અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy