SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જે જીવ વૈષયિક સુખથી વિમુખ થયો છે, ધનાદિથી અનાસક્ત છે, જેને જન્મમરણનો ત્રાસ લાગ્યો છે. ભયાનક સંસારમાં જે દત્તચિત્ત નથી, તેને કાર્યસિદ્ધિ માટે વૈરાગ્ય પેદા થાય છે. ત્યાં અધ્યાત્મ યોગની સંભાવના છે. વ્યવહારચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની નિવૃત્તિ થાય છે. પરંતુ અંત:કરણની પ્રવૃત્તિએ શ્રેષ્ઠ ફળદાયક સાર તો સમ્યકજ્ઞાન [૭૧૮] સમ્યકત્વનું સામર્થ્ય કેવું છે? સમ્યગ્દષ્ટિવંત આત્માને પુણ્યયોગે ભોગના સંયોગ હોવા છતાં શ્રદ્ધારૂપે થયેલા વૈરાગ્યની પરિણતિને તે હણતો નથી. પવનની લહેર નાના દીપકને બૂઝવી શકે પણ મોટા દાવાનળને બૂઝવી શકતી નથી તેમ સમ્યગ્દષ્ટિ આત્માના શુદ્ધ પરિણામને ભોગો ચલાયમાન કરી શકતા નથી. [૭૧] જેમ મંત્ર વડે શરીરમાં રહેલું વિષ નષ્ટ થયા પછી ડંખના સ્થાને વિષની અસર રહે છે. તેમ અશુભ વિકલ્પોને દૂર કર્યા પછી શુભ વિકલ્પોનો વ્યવહાર રહે છે, પરંતુ એવા શુભોપયોગમાં ચિત્તની પ્રસન્નતા તેને તે વ્યવહાર છૂટી જવામાં ઉપકારક થાય છે. વળી સ્વપરનો ભેદ અનુભૂત થવાથી સાક્ષીભાવે કે જ્ઞાતાદષ્ટપણે રહી પરમાર્થને પ્રાપ્ત કરે છે. સંસારમાં કોઈ અસાધ્ય રોગથી કે મૃત્યુથી બચવા જીવ કંઈપણ કરવા કે કિંમત ચૂકવવા તૈયાર થાય છે. તેવો અજ્ઞાની જીવ અનંત જન્મમરણના ભયંકર ત્રાસથી છૂટવા માટે અંધકારમાં અટવાયા કરે છે. જો કોઈ સદ્ગુરુ તેનો ઉપાય બનાવે તો તે કંઈ કારણોને આગળ કરી આત્મહિતને ગૌણ કરે છે. કેવી દયનીય દશા છે? માટે ગમે તે પ્રકારે એકવાર સંસારના મોહપાશથી પાછો વળે અને ભેદજ્ઞાનનો પ્રયોગ કરે તો છૂટવાનો આરો છે. [૨૦] પૂર્વકર્મના યોગે આત્માને શુભાશુભ ભાવનો ઉદય નિરંતર છે. ત્યારે પણ તું તો જ્ઞાનમયપણે જુદો છું તેમ જાણ અને રાગ દ્વેષરહિત સમભાવ વડે સ્વનું વેદન કરવું. આમ વારંવાર અભ્યાસ કરે તો રાગાદિથી અમૃતધારા ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy