________________
મન તે આત્મભાવ છે. શુદ્ધાત્માની ઉપાસનાથી, આશ્રયથી મનને નિશ્ચળ કરવામાં આવે તો કર્મનો ક્ષય થાય છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે.
[૭૨૫] જીવ દેહ સાથે એકતા-અભેદતા માનીને તેને વળગી રહે છે ત્યાં સુધી ત્યાગ કરવામાં જીવને ભય – શંકા પેદા થાય છે, અને ત્યાગ દુઃખરૂપ લાગે છે. પરંતુ એ વિવિધ આકારોના નિરંતર પરિવર્તન જુએ છે તેને જાણનાર આત્માને જ્ઞાનસ્વરૂપ જુએ છે ત્યારે ત્યાગ સહજ બને છે અને આનંદનો અનુભવ કરે છે. આધ્યાત્મિક જીવનના એક પલકવારના અનુભવમાં પણ નિરંતર પલટાતી દુનિયાના આકારોનું ખરું રહસ્ય સમજાય તો તે સર્વની અસારતા જણાવા લાગે, ત્યારે ત્યાગ સહજ બને.
[૭૨૬] પુગલ આશ્રિત અપ્રશસ્ત ભાવોને ત્યજવા પ્રશસ્ત ભાવનું / રાગનું તે સમયની યોગ્યતા પૂરતું પ્રયોજન છે. પરંતુ પ્રશસ્ત રાગમાં અટકવાનું નથી. કારણ કે પ્રશસ્ત, અપ્રશસ્ત બંને રાગ પરાશ્રયી છે. આત્મસ્વરૂપ સમસ્ત રાગ- રહિત અત્યંત નિષ્કલંક છે. તેવું ભાન થતાં સમસ્ત રાગભાવ દૂર થાય છે. પ્રશસ્ત રાગમાં જાણે અજાણે સંતુષ્ટ થવાથી ત્યાં અટકી જવાનું થાય છે. અંતરંગ દૃષ્ટિમાં જવાને બદલે, તેને લાગે છે પોતાનું સ્વરૂપ પ્રાપ્તિ થઈ છે, આમ મૂળ સ્વરૂપની રુચિ છૂટી જઈને જીવે ત્યાં જ ફસાઈ જાય છે. પ્રારંભમાં થયેલી સ્વરૂપ રુચિ રાગમાં ફેરવાઈ જાય છે. આથી દર્શનમોહની મંદતા અટકી જાય છે. અને જીવ આત્મવિકાસમાં આગળ વધતો નથી. [૭૨૭]
સ્વભાવમાં રાગાદિ વિકારનો અભાવ છે. પર્યાયમાં વર્તમાન અવસ્થામાં વિકાર હોવા છતાં અવિકારી સ્વભાવની પ્રતીતિ કરે છે તે અંતરદષ્ટિ જાણવો આવી સ્વભાવની અવિકારી અંતરદષ્ટિની સમજ સમ્યગ્દષ્ટિવાનને હોય છે.
[૭૨૮] કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પરદ્રવ્ય પ્રતિબિંબિત | પ્રતિભાસિત થવા
અમૃતધારા ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org