SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ વિશેષ છે. ત્યાર પછી સંકલ્પબળ વધે છે. [૬૯૭] માનવી પાસે શબ્દ, વિચાર, ભાવ, સંકલ્પ જેવી શક્તિઓ છે તેના પર આત્માનું નિયંત્રણ નથી, પણ કર્મ, સંયોગો, અને કષાયોનું નિયંત્રણ છે. જીવનની મૂળ શક્તિઓને પ્રગટ કરવા નમસ્કાર મંત્રના શબ્દ શબ્દને આંતરમનમાં ચીવટપૂર્વક ઘૂંટવો જોઈએ. તે માટે પ્રસન્નચિત્ત, જાગૃત અંતઃકરણ, અને સમતાભાવ આવશ્યક છે. તો જ તે શક્તિઓ આત્મસાત્ થશે. શબ્દને શ્રવણસુખ સુધી પહોંચવાની મર્યાદા છે. શુદ્ધ ભાવ વિશ્વવ્યાપી બની શકે છે. [૬૯૯] શબ્દ કાયિક છે. વિચાર માનસિક છે. જાગૃતિ અંતઃકરણ છે. સંકલ્પબળ આત્મા છે. | [૬૯] નમસ્કારમંત્રના ઉચ્ચારમાં શુદ્ધ અંતઃકરણ જોઈએ. નમસ્કારમંત્ર સિદ્ધમંત્ર છે કારણ કે તે યોગસિદ્ધ પુરુષોએ પ્રગટ કર્યો છે, કહેલો છે. વાસ્તવમાં નવકાર એટલે પરમાત્મતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ. સામાયિક એટલે સર્વ જીવોમાં આત્મતુલ્ય ભાવ એ સાધનાનો અભ્યાસ. અર્થાત્ જીવનમાં સમભાવ સ્મરણમાં નવકાર. બંનેની ફળશ્રુતિ મુક્તિ.” પંચપરમેષ્ટિ એ આત્માનું વિકસિત સ્વરૂપ છે. સામાયિક એ પરમેષ્ટિ થવાની સાધના છે. નવકાર નિશ્ચય રત્નત્રયનું પ્રતીક છે. વ્યવહાર સાધન છે નિશ્ચય સાધ્ય છે. વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન વ્યવહારનું વિશોધક છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય સ્વયજ્યોતિ સુખધામ મહિમા ધરાવતું શુદ્ધ સ્વરૂપ શ્રી પરમેષ્ટિ ભગવંતોમાં આવિર્ભાવ પામેલું છે. તેનો સંબંધ કરાવનાર શ્રી પરમેષ્ટિમંત્ર છે, તેથી તે સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મંત્ર છે. સર્વ તત્ત્વોમાં શિરોમણિભૂત તત્ત્વ આત્મતત્ત્વ છે. અને તેમાં ૧૯૬ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy