SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાવું સહેલું છે. શાસ્ત્રાભ્યાસ સહેલો છે પણ જાતને બદલવી અઘરી છે. આમ સદ્ગુણોમાં ટકવું અઘરું છે. આવા અંધકારમાંથી પ્રકાશમાં લાવનાર ગુરુની નિશ્રા છે. [૬૪] ચિત્તની મનની સરળતા એ મોટામાં મોટો ગુણ છે. કપટરહિત થઈ આતમ અરપણા આનંદઘન પદ રેવ' સરળતા વગરની સાધના શૂન્ય બને છે, સરળતા પરમાર્થ અને વ્યવહારમાર્ગ બંને માટે અનિવાર્ય છે. શાસ્ત્રકારો કહે છે વિશ્વમાં મનુષ્ય કરતાં તિર્યંચના જીવો સૌથી વધુ સંખ્યામાં છે. તિર્યંચ, તિર્યક એટલે આડા, વક, અસરળ, આદિ પરિણામોને એ દ્યોતક છે. જ્યારે મનુષ્યની સંખ્યા ઓછી છે. વળી મનુષ્ય થઈને પણ અસરળ, વક્ર પરિણામી થયો તો તિર્યચપણું લમણે લખાઈ જશે. [૧૯૫] સરળતાના વિકાસ અર્થે જીવે નિજદોષનું દર્શન અવલોકન કરીને, દોષ જણાય ત્યાં બિન પક્ષપાતી થઈ તે દોષને દૂર કરવા દઢ પ્રયત્ન કરવો. સરળ જીવો જિનાજ્ઞા સહેજે આરાધી શકે છે. સન્માર્ગે ચાલવાની તત્પરતા પણ વિશેષ હોય છે. શાસ્ત્ર અધ્યયનમાં પ્રગતિ થાય છે. કષાયોની મંદતા થાય છે. ધર્મમાર્ગમાં, પ્રબળ શ્રદ્ધા જાગૃત થાય છે. આત્મહિતની વિશેષતા પ્રાપ્ત થાય છે. સરળતાના ગુણ-વિકાસ માટે જીવે માયા, કપટ, દુરાગ્રહ, દંભ જેવા દોષોને ત્યજી દેવા, ગુણગ્રાહી થવું. જ્ઞાનીના વચનમાં વિશ્વાસ પેદા થવાથી બોધ પરિણામ પામે છે. પરમાર્થથી વક્ર એવા રાગાદિને ગ્રહણ ન કરતાં સ્વભાવને ગ્રહણ કરવો તે સરળતા છે. [૬૯૬] નમસ્કારમંત્ર આંતરમનમાં ચીવટપૂર્વક ઘૂંટાવો જોઈએ. શબ્દધ્વનિનો પણ પ્રભાવ છે. શબ્દ દ્વારા નિ:શબ્દમાં પ્રવેશી શકાય છે. જેનું મન બહિર્મુખ છે, ચંચળ છે. તેમણે નવકારના શબ્દમાં પ્રવેશવું ત્યાં અટકવાનું નથી. મન ઉપર શબ્દ અસર ઉપજાવશે એટલે મન બહારથી પાછું ફરશે. ઉચ્ચાર પછી અર્થવિચાર પર જશે. વિચાર કરતાં ભાવની અમૃતધારા ૧૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy