SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ સ્વાભાવિક કોમળતા, મૃદુત છે. તેમ નમસ્કારનિષ્ઠ આત્મા પણ આ સંસારમાં કોઈને ખેદ પમાડ્યા વગર ધર્મધ્યાનમાં સ્વસ્થ રહી શકે છે. કેમકે તે સ્વ-પરહિત ચિંતાયુક્ત છે. [૬૮૨] ભલે તે સર્વવિરતિમાં નથી. સમિકતીના ઘરમાં અવિરત બેઠી હોય પણ રોતી રોતી હોય. દુનિયાના પદાર્થો મેળવવાની લાલસા રહે તે અવિરતિ લાવે, તેને સાથ આપવા કષાયની જરૂર પડવાની, તેને ખરાબ ન લાગે એટલે અધર્મ આવવાનો, પછી એ જીવ ધર્મ કરે તો પણ અધર્મનો પક્ષ વૃદ્ધિ પામવાનો કારણ કે વિરતિ નથી એટલે લાલસા ઊભી રહેવાની. જે આ અવિરતિને ઓળખે છે તેની સામે જપીને બેસતા નથી. [૬ ૮૩] અવિરતિને ન ઓળખે તે મિથ્યાદૃષ્ટિ અને તેને સદ્ગુરુ દ્વારા ઓળખાવવા છતાં ઓળખવાની ઇચ્છા ન થાય તે મહામિથ્યાષ્ટિ છે. અવિરતિ એટલે સંસારના સુખ પ્રત્યે વિરક્તિ વગરનો, ધર્મ કરે તો પણ આદર ધર્મ તરફ કે સુખ તરફ ? એવા સંસારને તજે તે સાધુ છે. તજવા જેવો માનીને તેવો પુરુષાર્થ કરે તે શ્રાવક. ભગવાનની ભક્તિ કરું અને ભગવાને જે છોડ્યું તેને ઇચ્છે ? તે ગમે ત્યારે ભગવાનને ભુલાવીદે ? તેના જેવી ક્ષુદ્ર દશા બીજી કઈ હોઈ શકે ? [૬૮૪] ધર્મ કરતાં પુણ્ય થઈ જાય તે તો આગળના માર્ગનો ભોમિયો બને પણ સ્વાર્થ માટે પુણ્ય કરે તો પરિણામે પતન પામે. ધન છોડવા જેવું માનીને ધનથી ધર્મ કરે તેને દાન ઉપકારી છે. આત્મામાં શ્રદ્ધા હોય તે એવા પુણ્યને શોધતો ફરે અને પાપના સંયોગથી ભાગતો રહે. [૬ ૮૫] સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્યના સ્વભાવ અને સામર્થ્યને ઓળખે છે, તેથી તેને ચૈતન્યથી ભિન્ન એવી વસ્તુઓ પ્રત્યે અંતરથી રાગ નથી. તેમાં હેયબુદ્ધિ છે. તેને સ્વરૂપમાં એકત્વબુદ્ધિ હોય છે. અને પરમાત્રમાં વિભક્તબુદ્ધિ હોય છે. આવો એકત્વવિભક્ત આત્મા જ સ્વસ્વરૂપમાં ૧૯૨ * અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy