SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગપૂર્વકનું શુભધ્યાન હોવાથી નિસ્તરંગ અવસ્થાની પ્રાપ્તિમાં સહાયક થાય છે. [૬ ૭૮] યોગ અસંખ્ય છે ધ્યાનના ભેદ અનેક છે. શ્રી અરિહંતનું ધ્યાન શ્રેષ્ઠ છે. અરિહંત ભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના, મોક્ષમાર્ગના દાતા૨ છે! એવો એકાંત નિયમ જિનશાસનમાં નથી. ઉપદેશ વડે, આજ્ઞાપાલન વડે જેમ અરિહંત ભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે, તેમ તેમના નામસ્મરણાદિ, આકૃતિના દર્શનાદિ વડે ક્લિષ્ટકર્મનો ક્ષય કરાવી મોક્ષના અને મોક્ષમાર્ગના હેતુભૂત બને [૬ ૭૯] id. અરિહંત ભગવંતોના નામ, રૂપ, કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે તેમ દ્રવ્ય, ભાવ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે. દ્રવ્ય એટલે અરિહંતોની પૂર્વોત્ત૨ અવસ્થાઓ ગૃહસ્થાવસ્થા, દીક્ષાવસ્થા વિગેરેનું શ્રવણ, મનન, ચિંતન, અને ભાવ એટલે સમવ૨ણસ્થ ધર્મોપદેશ સમયની અવસ્થા. તેનું મનન, ચિંતન કે ધ્યાન ભવ્ય જીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ બને છે. તે કારણે મોક્ષાર્થીને માટે તેઓ નમસ્ક૨ણીય છે. સ્મરણીય છે. [૬ ૮૦] નવકાર નમસ્કાર શું આપે ? એવું પૂછનાર વિચારે કે દુકાન માંડતાં પહેલાં નફો નહિ મળે એમ વિચારે છે ? દુકાન શરૂ કરીને રોજ સરવૈયું કાઢો છો કે વરસે ? તેમાં ઉતાવળ ન ચાલે. નવકારના લાભનો વિચાર કરતાં પહેલાં તેને ગણો – જપો એમાં ડહાપણ છે. ગણતાં પહેલાં શું આપે ? તેની સેવામાં, જપમાં, ખાનદાનીથી છ માસ તો ગાળો. ગુરુજનોના વચનમાં વિશ્વાસ મૂકો. શંકા રહે ત્યાં સુધી આરાધનાના મંગળમાર્ગ ૫૨ નિશ્ચિતપણે પગલાં ભરી શકાતાં નથી. [૬ ૮૧] નમસ્કાર મંત્ર એ સ્વરૂપમંત્ર છે. બત્રીસ દાંત કઠોર છે, તીક્ષ્ણ છે, તે બધાની વચ્ચે એક જીભ દીર્ઘકાળ સુધી હેમખેમ રહી શકે છે, તેનું Jain Education International - અમૃતધારા * ૧૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy