SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન એટલે પૂર્ણસ્વરૂપ. તે મળ્યા પછી તેનું સ્થાન હૃદયમાં આવે પછી અપૂર્ણ-તુચ્છ વસ્તુઓ કેવી રીતે ગમે ! દ્રવ્ય ચારિત્રી સાધુની વર્તના-ગતિ ભગવાનમાં થાય તો તે સમાચારી જેવા બાહ્ય પદાર્થોથી ઉપર ઊઠી આનંદઘન બને. સ્વના અસ્તિત્વની સામે ભગવાનની સર્વસ્વતાનો સ્વીકાર એ ભગવાનની શ્રદ્ધા. [૬૭] પૂ. આ. કલાપૂર્ણસૂરિજી પ્રકાશે છે કે: જીવ સિદ્ધસમ હોવા છતાં સમજણના અભાવે ભવાટવીમાં ભટકે છે. તેના મૂળમાં મિથ્યાત્વ મોહનીયનો ભાવ છે. વિપરીત શ્રદ્ધાન અને કષાયની જોડી રૂ૫ ગ્રંથિને તોડી નિગ્રંથ થવાનું છે. અનંતાનુબંધી કષાયની વિદ્યમાનતા એ બુદ્ધિમાં અહંકાર, હૃદયમાં કપટ અને કાયામાં સુખરૂપ મિથ્યાત્વ પેદા કરે છે. અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનમાં દેહના મમત્વની મુખ્યતાથી પ્રતિજ્ઞાને કષ્ટરૂપ માને છે. સંજ્વલન કષાયની વિદ્યમાનતા ઉપયોગમાં – મનમાં છે. આ સર્વે દેહાત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિએ શ્રદ્ધા જીવની છે. જ્ઞાન દર્શન ગુણ જીવના છે. દેહની વર્તના ઈચ્છા પોતાની છે. અંતે અનંતશક્તિરૂપ અનંત ચતુષ્ક સાથેની અભેદતા એ જીવનું પોતાનું શિવસ્વરૂપ છે. [૬૭૩] સ્કૂલ જગતમાં હાથપગ હલાવવા વિગેરેને જ ક્રિયા મનાય છે. સૂક્ષ્મ-આંતરજગતમાં કેવળ તેમ નથી. સૂર્યનો ઉદય થતાં કમળ વિકસે છે, તેમાં સૂર્યને કંઈ કરવું પડતું નથી. નમસ્કાર જેવા મંત્રમાં, મહાન આત્માઓ પ્રત્યેના બહુમાન જેવા નિમિત્તોથી જીવોમાં રહેલા પાપરૂપી દોષો દૂર થાય છે. ભવ્યાત્માઓનાં હૃદયકમળ વિકસે છે. ગુણોથી પલ્લવિત થાય છે. [૬૭૪] સૂર્યની જેમ નમસ્કાર મહામંત્રમાં એ જ નિયમ લાગુ પડે છે. નમસ્કાર વડે સાધક પરમોચ્ચ આલંબનનો સંપર્ક સાધે છે. તે આલંબનો નિમિત્ત બનીને સાધકના આત્માની શુદ્ધિ કરે છે. અધિક અધિક શુદ્ધ ભાવોને વિકસિત કરે છે. કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ ઉપર અમૃતધારા ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy