SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિશીલ રહીશ.” આ વીર્યાચારનો પ્રારંભ દર્શનાચાર, જ્ઞાનાચાર ચારિત્રાચાર અને તપાચારમાં જોડાવાથી છે. તેની પરાકાષ્ટા અભેદ દષ્ટિ, ભેદજ્ઞાન, શ્રુતકેવળીપદ, જિનકલ્યાવસ્થા અને અનશનમાં છે. એમાં વીર્યાચારની પૂર્ણાહુતિ થાય છે ત્યારે જીવને અનંત દર્શન, અનંતજ્ઞાન, (અનંતચારિત્ર) અનંત સુખ અને અનંત વીર્યની (અનંત ચતુષ્કની) પ્રાપ્તિ થાય છે. [૬ ૬૯] વીતરાગતા એ ચારિત્રગુણની અવસ્થા છે, જે વૈરાગ્યગુણનો પરિપાક છે. જે સર્વથા મોહક્ષયનું કારણ છે. વીતરાગતા વડે જ મોહનીય કર્મનો ક્ષય થાય છે ત્યારે અતીન્દ્રિયજ્ઞાન, કેવળજ્ઞાન પ્રગટે છે. વીતરાગતાએ કરીને મોહનીયકર્મક્ષયથી વિચાર વિકલ્પાત્મક જ્ઞાનનો ક્ષય થઈ નિર્વિકલ્પ કેવળજ્ઞાન પ્રગટે છે. વીતરાગતાએ કરીને મોહનીયકર્મ ક્ષય થઈ સુખ દુઃખાદિ વેદન નષ્ટ થઈ પૂર્ણ સ્વરૂપાનંદ પ્રગટે છે. વીતરાગતાએ કરીને અંતરાયકર્મ નષ્ટ થઈ અનંત શક્તિ પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાન એ વીતરાગજ્ઞાન છે. તેનું સાતત્ય તૈલધારાવત્ છે તે ચારિત્ર છે. તે સ્વરૂપથી અભેદ છે. નિરાવરણ [૬ ૭0] દર્શનાચાર અને જ્ઞાનાચાર ઉપયોગ પ્રધાન છે. ચારિત્રાચાર અને તપાચાર યોગપ્રધાન અને યથાશક્તિ છે. અર્થાત્ દર્શન અને જ્ઞાનની પૂર્ણ સમર્પણતા થયે ચારિત્રાચાર તપાચારનો વિકાસ થાય છે. પાંચે આચાર આત્માના ગુણ અર્થાત્ આત્મશક્તિ છે. મન, બુદ્ધિ, ઇચ્છા ભગવાનને ચરણે અર્પણ કરી દેવા એ જ્ઞાન-શ્રદ્ધા. તીર્થંકર પરમાત્મા ભગવંત સિવાય બીજે ક્યાંય ગમે નહિ એ ચારિત્ર. આ વર્તન સાચું ક્યારે કહેવાય? જ્યારે ભગવાન સિવાયનું જગત શૂન્ય ભાસે ત્યારે સાચી વર્તના-ચારિત્ર કહેવાય. જગત સાથે અહીં કોઈ અપેક્ષા નથી. ભગવાનમાં જ ગતિ, ભગવાનમાં મતિ, ત્યાં જ વૃત્તિ. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું.” [૬૭૧]. ૧૮૮ અમૃતધારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy