SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રચાર પ્રસાર, કરવા સહિત, સાધર્મિક વાત્સલ્ય કરતા કરતા અનુકંપાધર્મ, પરોપકાર, જયણા, જીવદયા ધર્મનું પાલન કરીશ. [૬૬૫]. જ્ઞાનાચારની પ્રતિજ્ઞા છે “હું સિદ્ધસ્વરૂપ છું.’ હું બ્રહ્મસ્વરૂપ છું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી, અવિનાશી, આત્મસ્વરૂપી છું.’ જ્ઞાનાચારના સાધકનો સંકલ્પ હું દ્વાદશાંગી પ્રમાણ જ્ઞાન સંપાદન કરી શ્રુત કેવળી થઈશ. જ્ઞાનાચારનો પ્રારંભ નમસ્કાર મહામંત્રના અધ્યયનથી થાય છે. એની પરાકાષ્ય દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિથી શ્રુતકેવળી બનવાથી થાય છે. તે જ્ઞાનનું અંતિમ પરિણામ પૂર્ણ કેવળજ્ઞાનનું પ્રાગટ્ય [૬૬ ૬] ચારિત્રાચારની પ્રતિજ્ઞા છે હું દેહ નથી દેહાદિ કોઈ પણ પદાર્થ મારા નથી ચારિત્રાચારનો સંકલ્પ છે કે આરંભ સમારંભ પરિગ્રહનો સર્વથા ત્યાગ કરીશ. આ ચારિત્રાચારનો પ્રારંભ સામાયિક વ્રતથી થાય છે. પરાકાષ્ય જિનકલ્પવ્રતના (એકાંતમાં નિગ્રંથ અવસ્થામાં મુનિપણામાં) સ્વીકારવામાં છે. આ ચારિત્રાચારની સમાપ્તિ થાય છે ત્યારે પરિણામે અદેહી એવી પરમ સ્થિરાવસ્થા અર્થાત્ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ છે. [૬૬]. તપાચારની પ્રતિજ્ઞા છે કે હું દેહ નથી તો પછી દેહનાં કે ઈન્દ્રિયોનાં સુખ સાચાં નથી જ. તપાચારનો સંકલ્પ છે કે હું તૃપ્ત છું, મારે બાહ્ય કોઈ પાર્થની જરૂર નથી એવો નિષ્કામભાવ છે. તપાચારની શરૂઆત નવકારશી તપથી અર્થાત્ પચ્ચખાણના માહાસ્યથી છે. એની પરાકાણ અનશનતપ છે, એ તપાચારની સમાપ્તિ થાય ત્યારે ફળસ્વરૂપે અણાહારીપદ અર્થાત્ પૂર્ણકામ – પરિતૃપ્તિની પ્રાપ્તિ થાય છે. [૬૬૮] વર્યાચારની પ્રતિજ્ઞા છે કે હું અનંતશક્તિનો અનંતવીર્યનો સ્વામી છું. વીર્યાચારનો સંકલ્પ છે કે અનંતશક્તિ સ્વરૂપ એવો હું મારી સર્વશક્તિથી સત્ત્વશાળી થઈ મોક્ષ પામું નહિ ત્યાં સુધી શક્તિમાં અમૃતધારા જ ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy