SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ શબ્દના વ્યવહાર-અપેક્ષિત ભેદ છે. સાંસારિક સુખ આત્મિક સુખ. દૂધ પીને મળતા પુષ્ટિના આનંદ જેવું સુખ કે દારૂના નશામાં મળતા આનંદ જેવું સુખ બંનેનાં સુખ સંસારીને સુખ દેખાય છે તો પણ કેટલું અંતર છે. એકમાં શારીરિક પુષ્ટિ છે બીજામાં શારીરિક હાનિ છે. દુઃખની પરંપરાવાળું છે. આ પ્રમાણે આત્માનું સ્વાધીન સુખ એ આત્માના સામર્થ્યવાળું છે. દેહનું સુખ દુઃખની છાયાવાળું છે. [૪૨] બુદ્ધિ અને જ્ઞાનમાં ઘણું અંતર છે. જેમકે કોઈ બુદ્ધિમાને જાણ્યું કે લક્ષ્મી ચંચળ છે, તે ઘર બદલે છે, સ્થાયી નથી, એટલે તે તેના રક્ષણના કેટલાય વિકલ્પો કરી તેને રક્ષવાનો શ્રમ ક૨શે, પણ જો તે જવાની છે તો બેંકો બેસી જશે, પેઢીઓ દેવાળાં કાઢશે. ઘરમાંથી ધન ચોરાઈ જશે. ધંધામાં ખોટ આવશે, એમ લક્ષ્મીને પગ આવશે અને ચાલી જશે. ત્યારે કરેલા બધા રક્ષણના ઉપાયો વ્યર્થ જશે. જેનો ભરોસો જ નથી તેના માટે પૂરી જિંદગી ખર્ચાઈ જાય છે. [૬૪૩] જ્ઞાનીએ પણ વિચાર્યું કે લક્ષ્મી ચંચળ છે. વીજળીના ચમકારા જેવી છે. તેને રક્ષણ આપો તો પણ પ્રારબ્ધ ખૂટ્યું કે લક્ષ્મી વિદાય લેશે. એટલે અનુપમાદેવીએ પતિને કહ્યું, લક્ષ્મીનો એવો ઉપયોગ કરો કે લોકો જોઈ શકે પણ લૂંટી ન શકે. જેની પાસે આવી તત્ત્વદૃષ્ટિ નથી તે તો કહેશે મોટી મહેલાતો બાંધો. હીરાના અલંકારો પહેરો, મોટા દેખાવો કરે. લોકો જુએ અને પછી લૂંટનારા પણ લૂંટે. ગમે તેટલું રક્ષણ આપે તો પણ તેને જવાનો સમય થાય ત્યારે ઊભી ન રહે. જ્ઞાનીઓએ એથી શાશ્વત લક્ષ્મીની વરમાળા પહેરી કે જેને ન તો કોઈલૂંટી શકે, ન તો રક્ષણની જરૂર પડે કે ન ક્ષય થાય. તે મોક્ષલક્ષ્મી. [૬૪૪] દરિદ્રી ધન વધારવા મેળવવા પ્રયત્નો કરે, યુવાન વૃદ્ધત્વ અટકાવવા પ્રયત્ન કરે, શ્રીમંત નીરોગી રહેવા પ્રયત્ન કરે, પ્રૌઢ વૃદ્ધત્વ અટકાવવા પ્રયત્ન કરે પણ વ્યર્થ. આ સર્વે અધૂરા જ રહ્યા છે અને રહેવાના છે. Jain Education International ૧૮૦ અમૃતધારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy