SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થનો વ્યવહાર ચલાવે પણ હજારો કેવળજ્ઞાની તો અત્યંતપણે નિવૃત્ત હોય. એવા નિવૃત્તિમય પવિત્રાત્માઓની પવિત્રતાના સ્પંદનો પણ જગતના હિતમાં હોય છે. તેઓ જગતને સુધારવાની ભ્રાંતિમાં પડતા નથી પણ સ્વસ્વરૂપમાં સમાઈ જતા હોવાથી અવ્યક્તપણે પાત્રજીવોને કલ્યાણરૂપ થાય છે. || [૬૩૬] જ્ઞાનીઓએ સકલ વિશ્વને સ્વપ્નવત્ કહ્યું તેમાં માર્મિકતા છે. ધારો કે એક માણસે દેવું કર્યું અને સ્વપ્નમાં દેવું ચૂકવ્યું તે વાત વ્યવહારમાં અસત્ય છે. સ્વપ્નમાં એક વ્યક્તિ ભારતમાંથી અમેરિકા પહોંચી જાગે ત્યારે સંભવ છે કે કોઈ ફૂટપાથ પર સૂતી હોય. અરે વહેલી સવારે અનાજની લાઈનમાં બેઠા હોય અને ઝોકું આવ્યું ત્યારે તે કાશ્મીરની હાઉસબોટમાં બેઠો બેઠો કુદરતનું સૌંદર્ય જોતો હોય ! ત્યાં તો દુકાન ખૂલી સૌ સળવળ્યા, તેનું ઝોકું ઊડી ગયું, જોયું તો ખાલી જૂની ઝોળી નજરે ચઢી. જાગે છે ત્યારે કાશ્મીરની હાઉસબોટમાં જાગતો નથી. તેમ માનવ પાંચ, સાત કે દસ દસકા પછી આલીશન મકાનની સુંદર સેજમાં મરણ પામે અને નવો દેહ ધારણ કરે ત્યારે એ મહેલાત કે સેજમાં જન્મતો નથી. [૬૩૭] આથી જ્ઞાનીઓએ સંસારની સમગ્ર સામગ્રીને સ્વપ્નવતુ જાણી ત્યજી દીધી. આથી નાશવંત શરીરથી માંડીને તમામ જડ પદાર્થોની આસક્તિ સાધકને બાધક છે. આમ અલ્પજીવી સ્વપ્ન કે દીર્ઘજીવી જાગ્રતિમાં જણાતા સર્વ પદાર્થો કલ્પિત છે. તે પદાર્થો જીવનકાળે સાપેક્ષ છે. ગમે તેવું હજારો કે લાખો વર્ષનું દીર્ઘજીવન પણ આયુષ્યકર્મને આધીન હોવાથી અલ્પ છે. માટે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને નિત્ય જાણો તે જ સર્વ અવસ્થાનો જાણનાર છે. [૬૩૮] એક ગામને પાદરે એક સુંદર વૃક્ષ. બાળકો તેના પર ચઢે, ઊતરે, રમે, મુસાફરો ત્યાં વિશ્રામ કરે. તેનાં લાકડાં બાળીને સૌ રસોઈ કરે. તેની સુગંધથી સૌ પ્રસન્ન રહે. આ સિવાય તેમની પાસે એ વૃક્ષનો ૧૭૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy