SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ સુખી દુઃખી થનાર મન, વિષયાસક્ત થઈ આકુળ થનાર મન, તેમાં આત્માને તો કોઈ સંબંધ નથી. અજ્ઞાનની આ કરામત છે કે જે કંઈ મનમાં ઊઠે તેમાં તે ભળે છે. એમાંથી આ દીર્ઘ સંસાર ચાલ્યો છે. વળી કેટલાંક સંસાર ટૂંકાવવા, જન્મમરણથી મુક્ત થવા પુણ્યકાર્યો કરે છે. પુણ્યથી દુઃખ દૂર થશે આનંદ મળશે પણ એ આનંદ તો બહારના કર્તવ્યોનો હોવાથી બહારનો છે, એટલે પુણ્યકર્મો કરનારા પણ અશાંત અને આકુળ હોય છે. પરિસ્થિતિને વશ હોય છે. પુણ્યકાર્યોથી ભવદુઃખ દૂર ન થાય. ભવાદિ દુઃખનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન બહાર નથી અંદર છે તે દૂર થાય જે આનંદનો અનુભવ થાય તે અંતરનો છે. લોકકલ્યાણ એ વ્યવહાર છે. વ્યવહારમાં ઉપયોગી હોય તો પણ આંતરિક અવસ્થામાં બાધક છે. કારણ કે એ વ્યવહાર પણ અસત્ છે. આત્મા સત્ છે. [૬૩૪] આ જગતમાં કંઈ પણ કરવું તે સ્થાયી નથી માટે જ્ઞાની અસંગભાવે રહ્યા. તો પછી જ્ઞાનીઓ ઉપદેશ દ્વારા સુકૃત્ય, દાન, પરોપકારનો ઉપદેશ કેમ આપે છે ? તીર્થકર કોટિના જીવોએ પણ જગતના કલ્યાણની ભાવના કરી અને તીર્થ પ્રવર્તનનો વ્યવહાર કર્યો. જગતમાં બહારનું જે દશ્ય છે તે સ્થાયી નથી નિરંતર પરિવર્તનશીલ છે આથી જેમણે જગત સુધારવાને જાણવા બદલે કે આત્મા જાણ્યો તેમાં સર્વ જણાય છે. અને ઉપદેશ પણ આત્મ પ્રાપ્તિનો આપ્યો. [૬૩૫]. ભાઈ! તીર્થકર કોટિનાં જીવો જગતના કલ્યાણની ભાવના કોઈ વાસના કે કર્તાભાવથી નથી કરતા એવી ભાવના કરવા છતાં તેઓને કર્મની સફળતા કે નિષ્ફળતા સાથે કોઈ પ્રોજન નથી. એમ કરવા છતાં સ્વરૂપે અસંગ અને અકર્તા, જ્ઞાતાદ્રા રહીને કર્યું. સામાન્ય માનવ એમ કરવા જાય તો શુભકાર્ય કે ભાવનો કર્તાભાવ સેવે. આથી જ જેમ તીર્થંકર કે અન્ય ઉપદેશનાં કાર્યો કરનારા સંતો થયા, તે જ પ્રમાણે અત્યંત નિવૃત્ત જીવન પ્રિય પુરુષો પણ થયા. જેમકે તીર્થકરના સમયમાં એક તીર્થકર અમૃતધારક ૧૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy