SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ છે તે દુર્લભ છે. જ્યારે આજે તો એક ક્ષણમાં સમાધિમાં ચડાવી દે તેવી જાહેરાતો આવે છે. ફોનમાં વાત દ્વારા સમાધિ અને સમસ્યાના ઉકેલની જાહેરાતો પ્રસિદ્ધ થાય છે. શાળા-કોલેજોને બદલે ખાનગી વર્ગોની જેમ આત્મસાક્ષાત્કાર, શક્તિપાતું, સમાધિ આપવાના મૂળ સ્થાનોને બદલે શિક્ષણ ફી લઈએ અનુષ્ઠાનોની વૃદ્ધિ થતી જાય છે. કશી જ અંતરની શુદ્ધિ કે શ્રમ વગર માણસો સહેલાઈથી મેળવવા દોડે છે. તે શિક્ષિત છે, ભૂખ નથી, પણ જેમ મહાત્માઓ અવળે પાટે ચઢ્યા છે તેમ માનવનું છે. [૬૩૧] મહદ્અંશે જગતમાં જીવો ભ્રમમાં જ જીવે છે. તે જાણે છે કે તેના વડીલોએ તેમના જીવનમાં જે કંઈ કર્યું, ઘર, પેઢી, ઇજ્જત, કીર્તિ, પરિવાર વિગેરે તે બધું અહીં રહ્યું અને તે તો કરું કરું કરતાં વિદાય થયા. અરે કોઈએ મોટાં કાર્યો કર્યા, પરિસ્થિતિમાં ફેરફાર કર્યા અને જાતે વિદાય થયા. નાની મોટી સ્મશાન યાત્રા યોજાઈ, પછી જાણે કે કંઈ લેવા કે દેવા. અરે તીર્થંકરાદિ મહાન ઐશ્વર્યવાન હતા, પણ કોઈ ઋષભનાથનો શ્રી મહાવીરનો, શ્રીરામનો કે શ્રીકૃષ્ણનો એ દૈવી ઐશ્વર્યનો એક કણ પણ મળતો નથી. સિવાય કે તેમના આંતરિક ઐશ્વર્યની મહાનતા, શુદ્ધતાનો આવિર્ભાવ. [૬ ૩૨] આથી જ્ઞાનીઓએ કહ્યું કે આ જડ-ભૌતિક જગત સ્વપ્ન સમાન છે. એ જગતના પેટાળમાં આવું તો કેટલુંયે સમાઈને સમાપ્ત થયું. જીવ સ્વપ્નમાં જે કંઈ જુએ, સુધારા કરે, ફેરફાર કરે તે જાગૃત થતાં વ્યર્થ થાય છે અને તે સ્વપ્નનો વિકાર કહેવાય છે. તેમ પચાસ સો વર્ષના આયુષ્યમાં બહારના કરેલા સર્વ પ્રકારો આંખ બંધ થતાં વ્યર્થ અને જ્ઞાનીની દૃષ્ટિએ લાંબકાળના વિકાર સ્વપ્નમાં કરેલું સર્વ વ્યર્થ તેમ જાગતાં કરેલું તારે માટે તારી જીવનયાત્રા સમાપ્ત થતાં સર્વ વ્યર્થ તો જીવ શાને માટે આ પરિશ્રમ કરવો ! [૬૩૩] જાગ્રત અને સ્વપ્નમાં વસ્તુને જાણનાર, ભોગવનાર મન, તેમાં ૧૭૬ જ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy