SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે તો પુણ્ય પણ પાપનું ઉપાર્જન કરશે. કહો કેવું અજ્ઞાન કેવો અંધકાર? હે માનવ ! આવા પાપ પુણ્યના ચક્રાવાથી મુક્ત થવા સ્વસ્વરૂપમાં દઢ થા. [૬ ૨૪] આ કાળમાં દોડ’ એ જાણે જીવનનું એક અંગ થઈ ગયું છે. વ્યાપારની દોડ, ખરીદીની દોડ, કલબો જેવાં સ્થાનો તરફ દોડ, મનોરંજનના વિવિધ પ્રવાહોની દોડ, છેવટે સામાજિક સેવાના કે ધર્મ સ્થાનોમાં દોડ, ધર્મક્રિયામાં દોડ, આ દોડ કેવી? [૬ ૨૫ એક યુવાન વિમાનમાં બેઠો, વિમાને ગતિ પકડી. તે ઊભો થઈ વિમાનમાં દોડવા લાગ્યો. પરિચારિકાએ પૂછ્યું, ભાઈ શું જોઈએ છે? ‘મારે જલ્દી પહોંચવું છે. આપણને થાય કે આપણે આમાંથી બાદ છીએ. “ના” આપણે પણ કોઈ દોડમાં છીએ. શું મળે છે ? પોતાની જાતને પૂછતો નથી. એમાં પણ જો કોઈ ગવર્નર કે પ્રધાનમંત્રી સાથે એકાદ ફોટો પડી જાય. તેની પ્રસિદ્ધિ થાય તો દોડનો તોડ માને છે. હજી હું કંઈક કરું, એનો અજંપો પોતે જ પોતાને મૂર્ખ બનાવે છે. [૬ ૨૬] તો શું કંઈ કરવું નહિ? ભાઈ ! તું મનુષ્યજન્મ લઈને સ્વરૂપની યાત્રાએ નિકળ્યો છું. આમ પશુની જેમ ધ્યેય વગર દોડવાનું ન હોય. ઉપરની સર્વ દોડ પછી તને શું મળ્યું? જન્મોજન્મના અજ્ઞાનને દૂર કરવા આ આંખની પલક જેટલો સમય મળ્યો છે. બહારની દોડના એ સર્વ વિકલ્પો આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક છે. અતૃપ્ત વાસનાઓની આ સર્વે જાળ છે. તેમાં જીવ જાતે જ ફસાયો છે. શું કરવું? માત્ર પરને છોડ અને જો. તેને જાણ પછી માન (શ્રદ્ધા) અને પછી માણ (અનુભવ) એ જ સહજાનંદ'. [૬ ૨૭] સૂક્ષ્મ વિચારણા વગર તત્ત્વનો પરિચય નહિ થાય. સૂક્ષ્મવિચારબુદ્ધિ એટલે જેમાં નામ રૂપના મોહની મલિનતા નથી. નિમિત્તને ગૌણ કરી પોતાના ઉપાદાન-આત્મશક્તિને જોવાની વૃત્તિ. દેહાદિ ભાવોને ૧૭૪ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy