SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ “શાંત મુદ્રા તારી મુખની મનોહર અખિયાનમેં અવિકારી સવિકારી અમે આવ્યા શરણે, તાર તાર મુજ તાર.” વળી ભમર ઇલિકન્યા પ્રભુજી થઈશું તુમ સમનાથ.” [૬ ૨૧] જન્મ પછી મરણ પછી જન્મ એ પણ વિકાર છે. બાળ યુવાની વૃદ્ધાવસ્થા બધી વિકારી અવસ્થાઓ છે. રાગાદિ ભાવ પણ વિકાર, ક્રોધાદિ કષાયો, કામની વાસના સર્વ વિકાર.પરપદાર્થમાં સુખ દુઃખના ભાવ તે વિકાર. બહારથી કંઈ મેળવું તે પણ વિકાર, જે ધર્મક્રિયાથી ‘ચિત્તશુદ્ધિ ન થઈ તો તે પણ વિકાર, આમ પાપ રૂપે કે પુણ્યરૂપે વિકાર જ છે. છતાં આપણને આ વિકારી અવસ્થાઓ દુઃખદાયક છે તેનો ભય નથી. નિર્વિકારદશામાં ન જન્મ, ન મરણ, ન પાપ, ન પુણ્ય, અરે નિર્વિકાર છું તેવા ભાનમાં કે જ્ઞાનમાં રોગ, શોક, કે મૃત્યુ કોઈ ભય નથી. છતાં જીવને વિકારીદશા કેમ ગમે છે? “અજ્ઞાન’ [૬ ૨૨] શું જીવને વિકારદશા પસંદ છે ? વિકાર, પાપ, કંઈ વિના શ્રમે થતા નથી. આહારના વિકાર તો હોંશે હોંશે સ્વીકારીએ છીએ. દૂધનું દહીં, ચીઝ, માખણ જેવા પદાર્થોનું રૂપાંતર તે પણ વિકાર. શરીરના સપ્તધાતુ તે પણ વિકાર, તે ભયંકર અશુભ છતાં જીવને દેહનો નેહ લેશ પણ છૂટતો નથી. આમ વિકારી જીવન કોઠે પડી ગયું છે. વનસ્પતિ જમીનમાં પાણીનો યોગ મળતા વિના પ્રયાસે કૂટી નીકળે તેમ વિકારોના સંસ્કારો વિના પ્રવાસે ઉત્પન્ન થાય છે. માટે સાવધાન થઈ તત્ત્વદૃષ્ટિ યુક્ત આત્મચિંતન દ્વારા હું નિર્વિકાર છું તેમ સતત ચિંતન કરવું. [૬ ૨૩] આત્મા સ્વસ્વરૂપે જેમ નિર્વિકારી છે તેમ નિષ્પાપ, નિષ્કામી છે. આનું ભાન કે જ્ઞાન ન હોવાથી જીવ વિભાવજનિત દશાનો ભોગ બને છે. વળી માનવ પાપ છોડવા તૈયાર નથી અને પાપથી મળતાં દુઃખથી ભાગે છે, પુણ્ય છોડવા તૈયાર નથી કારણે કે તેને એવું જ્ઞાન જ નથી કે પુણ્ય પણ વિભાવ છે, આત્મગુણ નથી. પાપને છુપાવે તો પણ એ છાપરે ચઢી પ્રગટ થશે. પુણ્યની જાહેરાત કરશે પ્રદર્શન અમૃતધારા ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy