SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું આ વિકારી ખોળિયું-મન, સગુણ તે પણ પરમાત્માના અનુગ્રહવાળા કે જે સો ટચનું સોનું હોય તે ગુણમાં દંભ કે માયા દોષ ન ભળે. તે ગ્રહણ કરવા કટિબદ્ધ છું ? જેમકે તમે ધર્મસ્થાને ઊભા છો તો કોઈ માંગણ હાથ લંબાવે છે. તમે ખિસ્સામાં હાથ નાંખ્યો પાંચની નોટ આવી, તે વખતે તમારો પરિચિત વ્યાપારી ત્યાં આવે છે. તમે પેલી પાંચની નોટ માંગણને આપો છો અને મનમાં પેલા દંભે કહ્યું આ વ્યાપારીને લાગશે મેં પાંચની નોટ આપી, દાન ગુણ છે પણ કોઈ એની નોંધ લે તેવો વિકલ્પ એ ગુણનું છિદ્ર છે. હું માયાથી મુક્ત છું તે ભૂલી જાય છે. દાન ગુણ છતાં ગુણ રૂપે ટક્તો નથી. આપણે તત્ત્વ-ગુણ લેવા તૈયાર છીએ ? [૬ ૧૮] પૂ. પંન્યાસજી કહે છે આત્મા અવિનાશી અમૂર્ત છે. તે ન સમજાય માટે શરીરનો ધર્મ સમજાવ્યો કે શરીર વિનાશી અને મૂર્તિ છે. શરીર મૂર્ત-દશ્ય છે. તો આત્મા કેવો? દેહમાં રહેલો દેહી પણ અપેક્ષાએ દશ્ય. વાસ્તવમાં સિદ્ધત્વના સ્વરૂપે વિચારીએ તો આત્મા દશ્યોદશ્યથી પણ પર છે. [૬ ૧૯] સમાધિશતકમાં પ્રકાયું છે કે આ દેખાય છે તે હું નથી. અને જેને હું કહું છું તે દેખાતો નથી. તો પછી કોણ શત્રુ કોણ મિત્ર? છતાં આપણું અજ્ઞાન કેવું? આ દેહને કોઈએ રૂપાળો કહ્યો રાજી થયા. કદરૂપો કહ્યો રડ્યા. આમ તો સમજુ છતાં મૂંઝાઈ ગયા અંતઃકરણમાં નથી આંસુ નથી પામું. (પક્ષપાત) તો કોણ રડ્યું? થોડું સાહસ કરો અને અતંરમાં ઠરો. [૬ ૨૦] આજે મહાવીર નિર્વાણદિન છે. નિર્વાણ એટલે આત્યંતિક મુક્તિ, નિર્વિકારદશા. વિકાર શું છે જાણો છો ? થોડા ઊંડા ઊતરો મારું સ્વરૂપ નિર્વિકારી છે. સહજપણે દેહ છૂટે તે નિર્વિકાર તે સિવાય દેહની બધી જ અવસ્થાઓ વિકારી. ૧૭ર અમૃતધારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy