SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જશે. આત્મતત્ત્વ અતિ સૂક્ષ્મ છે તેમાં કોઈ ઘાલમેલ ચાલતીનથી. રોગી છું તે દેહભાવ છે તો નીરોગી છું તે પણ દેહભાવ છે. હું શાંત છું કે અશાંત છું તે પણ દેહભાવ છે. શરીર જ પોતે એક ભ્રમભ્રાંતિ છે. ચેતનના સંચારથી તે બાહ્ય કાંતિ ધરાવે છે. છતાં દેહની દિવ્યશક્તિઓને પ્રગટ કરવા કેવો શ્રમ કરે છે, કેવો સમય વેડફે છે. વળી મૃત્યુ બાદ કહેવાય છે કે અમુકના મોં પર તેજ હતું, દેહ તો એવો ને એવો જ હતો. અરે! ચેતન ચાલ્યા ગયા પછી કોનું તેજ ? જીવો કેવા ભ્રમમાં પડ્યા છે આવી અવદશામાંથી કોણ ઉગારે ? પકડો કોઈ સદ્ગુરુને અને ભ્રમથી દૂર થાવ. [૬ ૧૫] વાત પિત્ત કફનો પ્રકોપ, શરીરમાં થતી વિકૃતિ એ રોગ મનાય છે. જ્ઞાની કહે છે આ શરીર જ સ્વયં રોગ છે. જન્મ ભવ સ્વયં રોગ છે. કોઈને રોગ લાંબો વખત રહે તે ગમતું નથી. હું દેહ છું તેવું મમત્વ અહંમ્ પણ માનસિક રોગ છે. આવા રોગ આત્મજ્ઞાનને બાધક છે. જેનો દેહભાવ છૂટે તે આવા રોગથી મુક્ત થઈ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે. [૬ ૧૬] વ્યક્તિના ભાવ જો સ્વરૂપ પ્રત્યે ન ઝૂકે તો વિકલ્પ ઊઠશે કે જે દેહ સાથે તે સંબંધ ધરાવે છે. ચિત્તમાં સ્વરૂપની શ્રદ્ધા નહિ હોય તો જીવ અનેક સંકલ્પ વિકલ્પોથી કે શંકાઓથી ઘેરાઈ જશે. પછી અનેક પ્રકારના ભય ચિંતા પેદા થશે. કારણ કે તે જાણતો નથી કે જીવનના અધિષ્ઠાનમાં ભય ચિંતા છે નહિ. માટે સુવિચારણા વડે સતત પ્રયત્નશીલ રહી દેહાધ્યાસને દૂર કરવા પ્રયત્ન કરવો. એક જ વાતનું ઘૂંટણ કરો હું દેહ નથી અચિંત્ય નિરામય શુદ્ધ આત્મા [૬ ૧૭] મનના નિરર્થક વ્યાપારો, દંભ, માયા એનો ચાલક પોતે જ પોતાથી છેતરાય છે. ધારો કે પરમાત્મા પ્રસન્ન થાય અને તમને પૂછે કે તમારે સગુણ જોઈએ છે કે દુર્ગુણ. શું જવાબ હોય તે પ્રશ્ન જ નથી. પણ અમૃતધારા ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy