SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ વિગેરે લાગુ પડે છે. મન દ્વારા સુખ દુઃખ હર્ષશોક લાગુ પડે છે. તેમાં પરિણામે પુણ્યપાપ નિમિત્ત બને છે. આમ પૌલિક પદાર્થમાત્રમાં ભેદ જ ભેદ છે. પણ જ્ઞાન સ્વરૂપ આત્મામાં સમત્વ ધારણ થાય છે ત્યાં આ સર્વે ભેદ સમાઈ જાય છે. બંધનો છૂટી જાય છે. એ સમત્વનું અભેદ એવું છે કે ત્યાં મુક્તિ અને બંધન બન્નેના ભેદ ટળી જાય છે. સાધનાકાળ ભેદભેદ પદ્ધતિવાળો હોવા છતાં સાધકનું લક્ષ્ય અભેદ પરત્વે છે તે મુક્તિનો આનંદ અનુભવે છે. એવી દશામાં સ્વસંવેદ્ય પદનો આવિર્ભાવ થાય છે. [૬ ૧૨] જ્યારે સાધક જાણે છે કે જ્ઞાતા શયનો સંબંધ સ્વક્ષેત્ર છે. પરક્ષેત્રે ઉપચાર છે. હું મારા સ્વરૂપને જાણું છું એટલે જ્ઞાતા અને શેય એક ક્ષેત્રે છે, અભિન્ન છે. સ્વરૂપને જાણે તેને કોઈ ભિન સાધનની જરૂર નથી. એ જ્ઞાનમાં જગત પણ જણાય છે, તેથી કહેતો નથી કે હું જગતને જાણું છું એટલે જ્ઞાતા શેયરૂપે જગતને જાણે છે તે સાપેક્ષ જ્ઞાન છે જ્યારે સ્વરૂપ જ્ઞાન નિરપેક્ષ છે. [૬ ૧૩] પરંતુ જ્યાં સુધી હું શુદ્ધ આત્મા છું તેવું જ્ઞાન ન થાય ત્યાં સુધી હું દેહ છું તેમ માનીએ તો આત્માની સમજ ક્યારેક તો પેદા થાય ને? અરે ભાઈજો તને જ્ઞાન નથી, ને ભલે તું આત્માને ન માને. પરંતુ જન્મમરણ થાય છે તેમાં દેહ છૂટે પણ જીવ કંઈ મરી જતો નથી તે તેના કર્મ સંસ્કાર પ્રમાણે વળી નવો દેહ ધારણ કરશે. જે દેહ છૂટ્યો તેની તો સ્મશાનયાત્રા નીકળશે. આમ અજ્ઞાનમાં પણ તારો આત્મા કંઈ મટી જતો નથી એ તો જીવે છે માટે જીવ છે. એક દેહ છૂટે ત્યારે યાત્રા સમાપ્ત નથી થતી અને યાત્રા સમાપ્ત થાય છે ત્યારે આત્મા આત્માપણે પ્રગટ થાય છે. માટે તું દેહ નથી પણ આત્મા છું. [૬ ૧૪] દેહ અપેક્ષિત જે કંઈ વિચારશો તે સર્વે દેહભાવના ખાતામાં ૧૭૦ અમૃતધારા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy