________________
તું જન્મતો નથી તો તું જન્મભૂમિમાં જન્મ્યો કે પ્રસૂતિગૃહમાં જભ્યો, ઝૂંપડામાં કે મહેલમાં જન્મ્યો ? ક્યાંયે જન્મ્યો નથી. જો તારા જન્મના સ્થાનનો પણ મહિમા છે તો આત્માનો મહિમા ક્યાં રહેશે ? જન્મભૂમિનો મહિમા ગવાયો કોનો! જેમણે જન્મોત્સવ બંધ કર્યો. જે જન્મમરણથી મુક્ત થયા. તેમની નકલમાં અh જોડવાથી જન્મમરણથી મુક્ત તેવી રીતે થઈશ ?
[૬૯] જે જન્મમરણથી મુક્ત થયા તેના જન્મોત્સવ કે નિવણ ઉત્સવનો હેતુ એ છે કે તું પણ જન્મ મરણથી રહિત છું અને છતાં જન્મમરણની જેલમાં પુરાયો છું. મુક્ત થવા માટે તને એવા સત્પરુષોની શીખ છે. તે ભૂલીને ઉત્સવ માની જીવ પોતાને ધન્ય માને છે. આ તો પેલી કથા જેવી વાત થઈ કે કોઈ યુવાન નવોઢાને લઈને નદીપાર કરતો હતો, ત્યાં તેને ખ્યાલ આવ્યો કે પત્નીને પગે તાજી મેંદી છે. એટલે તેણે નવોઢાના પગને હાથમાં પકડ્યા માથું નદીમાં રાખી શરીરને ચલાવ્યું. પત્ની મરણ પામી. ગામે પહોંચ્યો લોકોએ કહ્યું “મૂર્ખ. તેણે લોકોને જવાબ આપ્યો. ભલે એનો જીવ ગયો પણ મેંદીનો રંગે રહ્યો. તેમ પુરુષોની શીખ ગઈ અને ઉત્સવ રહ્યા? [૬ ૧૦]
જગતમાં શોધવા જેવું છે શું ? જે છે તે છે. થોડાં પરિવર્તનો થાય તેમાં નવીન શું? તારે પ્રહ નક્ષત્ર તારા શોધવા છે? પર્વતની ચોટી શોધવી છે? સાગરનાં રત્નો શોધવાં છે? ન્યુટ્રોન પ્રોટોન શોધવા છે. તે તો છે ને છે જ. કોઈ કહેશે આત્મા શોધવો છે, તે પણ છે. વળી કોઈ કહેશે જગતના એ ગુપ્ત રહસ્યોનું જ્ઞાન મેળવવું છે. એ પદાર્થોનું જ્ઞાન પણ નથી થતું. જ્ઞાન એ કહેવાય જેને દેશ, કાળનાં બંધન ન હોય એ સર્વે પદાર્થોથી ભિન્ન એવા સ્વાત્માનું એ ભેદશાન તે જ્ઞાન છે.
[૬ ૧૧] આત્મા ને જ્ઞાન અભેદ છે બાકી જે કંઈ જણાય તે ભેદવાળું છે. જેમકે શરીર છે તો તેને નાત-જાત વેશ લાગુ પડે છે જાતિ કુળ
૨
છે.
અમૃતધારા ૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org