SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ રહીને અહિતકર થાય છે. જેમકે વસ્તુના અભાવમાં તે મેળવવાના પ્રયોજનનો વિચાર-ઈચ્છા. વળી જો વસ્તુ પ્રાપ્ત થઈ તો તેનું મમત્વ. તે વૃદ્ધિ પામે તો તેનું અહંમત. તે ભોગવવાની આસક્તિ. દુઃખનું મૂળ જેમ પાપ છે તેમાં અનુકૂળ સંયોગોમાં સુખવૃદ્ધિ થવી. ચાસણી પર માંખ બેસે અને ચીટકી જાય પછી મરણને ને શરણ થાય. તેવી દશા સુખબુદ્ધિથી થાય છે. વળી દુઃખનો ઇન્કાર એ બંને અજ્ઞાન દશા [૬૦૬] શક્તિ આત્મા સંચારિત હોવા છતાં દેહના નેહથી ખંડિત થઈ વિપરીત પરિણામી થાય છે. ભૌતિક સુખમાં ઘણા જડ-પર પદાર્થોનો સરવાળો છે. આત્મિક સુખના ચાહકે એની બાદબાકી કરતાં શીખવી જોઈએ. શુદ્ધાત્માને સહારે, સ્વરૂપના નિર્ણયે અનાસક્ત બને તો બાદબાકી શક્ય છે. પરંતુ નિર્ણય અશક્ત બને તો બાદબાકી શક્ય છે. પરંતુ સુખના સાધનને કોટે વળગાડી રાખવાથી તે ફાંસલાનું કામ કરે છે. એટલે સરવાળો પછી ગુણાકાર બની જાય છે. તેનો ભાગાકાર કરવા કેટલાય જન્મો ચૂકવવા પડે છે. પણ અહો ! અજ્ઞાન જીવને અંધકારમાં પ્રકાશનો ભ્રમ પેદા કરાવે છે. [૬૦] આવા જન્મોમાં મનુષ્ય જન્મ મળે તો વળી તેના ઉત્સવો મનાવે છે. સામાન્ય માનવી તો અજ્ઞ છે તેને ખબર નથી કે આ તો કાળનો કોળિયો બનું છું. સંતો મહંતો મહાત્માઓ વિશેષપણે જન્મ ઊજવે છે, તેમને ગર્ભાવાસ સારો લાગે છે? આત્માને અજર અમર કહેનારા ગાઈ બજાવીને જન્મદિવસ ઊજવે છે ઉજવવા પ્રેરે છે તે જન્મની પરંપરાને આવકારે છે. મોહનીય કર્મને વશ કેવા ભ્રમમાં જીવે છે. કાળથી મુક્ત થવાના માર્ગે જવાના બદલે કાળના મુખમાં પ્રવેશ કરે છે? જીવતા જન્મદિવસ પોતે જ ઊજવે, અને મરણ ને મહોત્સવ ગણાવી ઊજવવાનું ચિંધતા જાય. કેવું આશ્ચર્ય ? [૬૦૮]. જીવ! તું તો જન્મતો નથી પછી ઉત્સવ કોનો ? અરે ભાઈ! ૧૬૮ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy