SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. તેમ વિષયોનું બળ ઘટ્યા પછી તેના સંસ્કાર-વાસનાનો સૂક્ષ્મ રીતે સંગ્રહ થયો છે તે હજી મૂળમાંથી નાશ પામ્યો નથી તેથી જીવ કોઈપણ રીતે અનુકૂળ પદાર્થોમાંથી સુખ અને પ્રતિકૂળ પદાર્થોમાંથી દુઃખ માની આકુળ થઈ જાય છે. સુખ પાછળ દોડે છે. માટે અભ્યાસ દ્વારા વિષયોથી પાછા ફરવું. પ્રતિકૂળતાને સહી લેવી. જ્ઞાન દ્વાર/બોધ દ્વારા વાસનાઓની ઉપેક્ષા કરવી, વિષયોથી ઉપરતિ પામેલું મન પુનઃ તે તરફ દોડતું નથી. [૫૭૯] જે જીવો આત્માની વાત સીધી સમજી શકતા નથી તેને માટે તત્ત્વદૃષ્ટિનું જ્ઞાન આપવું ઉપયોગી થતું નથી તેથી ભૂમિકાના બંધારણ માટે ઉપદેશ આપવામાં આવે છે કે ભાઈ મુક્તિના માર્ગે જવા “મનનો નિગ્રહ કર'. પણ આ મનને કેવી રીતે જીતવું? તો કહ્યું કે ઇન્દ્રિય નિગ્રહ કર' એ વળી ઘણું કઠણ લાગે ત્યારે કહ્યું કે તપ કર, જપ કર, આહારાદિમાં સંયમ રાખ વિગેરે. જ્યાં આત્માનો ઉપયોગ જ નહિ લાગે તો મન ઇન્દ્રિયો તારું કંઈ બગાડી નહિ શકે. આત્માનો ઉપયોગ આત્મામાં જોડાય તેની આ ભૂમિકાઓ છે. તીવ્રતા મંદતા દરેકના પુરુષાર્થ ઉપર અવલંબે છે. [૫૮] ક્ષયોપશમ ભાવ એટલે ક્ષમાદિ ભાવો. જેમ એક હાથથી બીજા હાથને પકડવાનો છે તેમ એવા ક્ષયોપશમભાવથી ઉદયભાવને પકડી ગુણયુક્ત બનાવવાના છે. જે ઇચ્છાઓનુભાવો મોહનીયકર્મના ઉદયથી થાય તે ઔદયિક ભાવ છે, તેને ક્ષયોપશમ ભાવથી શમાવવાના છે. તે માટે સપુરુષાર્થ કરવાનો છે. સંસાર પ્રારબ્ધથી ચાલવાનો છે. ધર્મ પુરુષાર્થથી થવાનો છે. જીવે સમજ ઊંધી કેળવી છે. ક્ષયોપશમ ગુણ) ભાવથી સાચી સમજ કેળવવાની છે. [૫૮૧) પૂર્વે કર્મોનો ભાર હળવો કરીને આવેલા કોઈ ગૌતમગણધર જેવા છાંયે છાંયે માર્ગે ચઢી જાય તો પણ તેમણે મહાદાવાનળ જેવા અહમૂને તો શિરચ્છેદ કરવો પડ્યો. બાકી દેહને સુખી કરવા ઘણા કમનો ૧૬૦ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy