SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ તો નથી કરતો, દ્વેષ પણ નથી કરતો. તે પદાર્થોની સમીપ નથી જતો કે નથી ભાગતો. જે જેમ છે તેમ જાણે છે તે જ્ઞાની વીતરાગ પિ૭૫] નિર્મળ વૈરાગ્ય સતુ-અસતના વિવેકથી જાગે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિવેકયુક્ત છે, દૂધના ઊભરાની જેમ શમી જતો નથી. સત્યાસત્યના નિર્ણયયુક્ત વિવેક અને વૈરાગ્ય બને અધ્યાત્મમાર્ગના પાયા છે. રાગદ્વેષથી મુક્ત નિર્મળ અંતઃકરણ વૈરાગ્યને ધારણ કરે છે. ઈચ્છાઅપેક્ષા આકાંક્ષા રહિત મન વૈરાગ્યથી સભર હોય છે. [૫૭૬] દેહધારી જીવમાત્રનો સંયોગ જડ-પુદ્ગલ સાથે છે. જ્યાં સુધી આત્માનો આ અનાત્મા-પુગલ-જડ સાથેનો સંયોગ વિયોગમાં ન પરિણમે ત્યાં સુધી મુક્તિ નથી. જે દેહ, પદાર્થો, દશ્યો, સાકાર છે, વિનાશી છે, તેમાં જીવે મારાપણું માન્યું, તે તે પદાર્થો સાથે તાદામ્ય સંબંધ બાંધ્યો જેના કારણે સતુને અસત્ અને અસતુને સત્ માન્યું. નિત્યને અનિત્ય માન્યું, અનિત્યને નિત્ય માન્યું. અરે દેહને જ સર્વસ્વ માન્યો અને જન્મ મરણની ઉપાધિના ચક્રાવામાં ઘેરાઈ ગયો. આ ઘેરાવાથી છુટકારો આત્મજ્ઞાન, વિવેચક્ષુ દ્વારા છે. [૫૭૭] કષાયના વિષયના વાસનાના અને વૃત્તિઓના સંસ્કાર જીવને દિીર્ઘકાળથી ચાલ્યા આવે છે. તે અહિતકર્તા છે તેવું કોઈક જ જીવને સમજાય છે. આત્મોત્કર્ષ માટે શમ-દમની જરૂર જણાતી નથી. પરંતુ તેના વગર આત્મશાંતિની પ્રાપ્તિ થતી નથી. ઇન્દ્રિયોનોવિષયોનો સંયમ તે દમ', વિષયોથી દૂર રહેવું કંઈક સરળ છે. પણ તેના સંસ્કારો જે વાસનારૂપ બન્યા છે તેનો “શમ’ સૂક્ષ્મ છે. વાસનાના-સંસ્કારોના સંપૂર્ણ નાશ માટે સતત વૈરાગ્યનો અભ્યાસ જરૂરી છે. કષાયથી આત્માનું પ્રશાંતપણું આવરાય છે. અવિરતિથી આત્માનું પૂર્ણસ્વરૂપ આવરાય છે. [૫૭૮] જેમ લસણની કે હિંગની બરણી ખાલી કર્યા પછી પણ ગંધ અમૃતધારા ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy