SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનકારોએ વિવિધ પાત્રતાઓ પૈકી મુખ્ય પાત્રતા યોગ માર્ગને અનુસરીને દર્શાવી છે. મોક્ષમાર્ગમાં જોડતા પરિણામ તે યોગ છે, તે યોગના અધિકારીની પાત્રતાઓ આ છે. પ્રથમ ચરમાવર્ત (પરિભ્રમણનું છેલ્લું વર્તુળ) અપુનર્બંધકદશા (પુનઃ દૃઢપણે મોહનીય કર્મ ન બાંધે) માર્ગાનુસારી - (ગુણોની વિશેષતા) માભિમુખ (માર્ગને સન્મુખ થયેલો. સમ્યગ્દષ્ટિ (સત્યની દૃઢ જિજ્ઞાસાવાળો તત્ત્વદૃષ્ટિ સંપન્ન) આ પાત્રતા વગર મુક્તિનાં દ્વાર બંધ છે. [૫૭૨] અન્ય દર્શનકારોએ સ્વરૂપ-મોક્ષ પ્રાપ્તિની પાત્રતાઓ સ્વીકારી છે. વિવેક : તમામ સુખ વૈભવના રાગ પ્રત્યે વૈરાગ્ય. ષસંપત્તિ ૧. શમ = મન ઉપર નિયંત્રણ ૨. દમ = ઇન્દ્રિય સંયમ. ૩. ઉપરતિ = વૃત્તિઓની વિષયથી વિરક્તિ. ૪. તિતિક્ષા = સહનશીલતા. ૫. શ્રદ્ધા = વિશ્વાસ. સમાધાન : બુદ્ધિની સ્થિરતા. મોક્ષમાર્ગનો અધિકારી ધર્મ અર્થ અને કામમાંથી ઉપરામ થયેલો જોઈએ. [૫૭૩] અહો કાળનું પરિબળ કેવું છે ? મોક્ષાર્થી મમતાર્થી બન્યો છે. શ્રાવક સંપત્તિનો અર્થી બન્યો છે. સાધુ સગવડાર્થી બન્યો છે. ઉપદેશની અસ૨ અભરાઈએ ચઢે છે. ક્યાં જાણકારીને પોષવા ચર્ચા પૂરતી રહે છે. આત્મભાવના માટે કંઈ ઝૂરણા જ નહિ ! વૈરાગ્યના પાઠ આપના૨ સંન્યાસીને તો આપણે બાવા બનાવ્યા. તોફાની બાળકને શાંત કરવા ‘બાવો પકડી જશે' આ વાત પણ હવે જૂની થઈ ગઈ. ક્યાં સાધુ સંતોની પવિત્રતાની પરંપરા અને ક્યાં ભૌતિક સુખ પાછળની આંધળી દોડ. આપણી પાસે કોનું મૂલ્ય છે? [૫૭૪] રાગનું કે વિરાગનું ? સંતોનું કે સંપત્તિનું ? મોક્ષનું કે મમતાનું ? વિરાગ અને વૈરાગ્યમાં અપેક્ષાએ અંતર છે. રાગની સામે વિરાગ લઈએ દ્વેષ જેવો ભાવ થશે. રાગ વિરાગથી ઉપરની દશાતે-વૈરાગ્ય છે. કંચન કામિની પ્રત્યેની દોડ છે તે રાગ છે. કચન કામિનીથી જે દૂર રહે છે પણ તેના દોષ વિચારીને ભાગે છે તે વિરાગી છે, પરંતુ વીતરાગી Jain Education International ૧૫૮ * અમૃતધારા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy