SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સદ્દગુરુ અને સાસ્ત્રથી આ તત્ત્વને જાણવાના શિક્ષણની પ્રણાલિના એ સાધનની જરૂર છે. ત્યાર પછી વિચારશીલ, જિજ્ઞાસુ સાધક પોતાના અનુભવની ફુરણામાંથી જીવનની ચોક્કસ દિશામાં આગળ વધે છે. જીવનની ચઢ-ઊતર સુખદુઃખના અનુભવથી તત્ત્વની શ્રદ્ધામાં દઢ થતો જાય છે. [૫૬૪] વર્તમાન દૃશ્ય પદાર્થ ઇન્દ્રિયો દ્વારા ભોગ્ય છે, તે પરાધીન છતાં જીવને તેમાં પ્રત્યક્ષતા લાગે છે. વળી પરલોકમાં એ જ ઇન્દ્રિયસુખની કલ્પના સ્વર્ગથી કરે છે. આમ સંસારના સુખ પાછળ જીવ આંધળી દોટ મૂકે છે, જેની દિશા ખોટી છે. વાચન શ્રવણથી સ્વર્ગનાં સુખ મેળવવા પુણ્યકર્મો પાછળ દોટ મૂકી પણ તેમાં આત્મસુખની પ્રાપ્તિ ન થઈ. આમ ધરતી અને સ્વર્ગના સુખની વચ્ચે જીવે દીર્ઘકાળથી દોડાદોડ કરી પણ વ્યર્થ. [૫૬ ૫] સ્થૂળ દૃષ્ટિએ ઇન્દ્રિયજ્ઞાનથી કોઈના ઉપદેશ વગર પણ જીવને પદાર્થનું જ્ઞાન થાય છે. બાળકને દૂધ પીવાની ચેષ્ટા માટે ઉપદેશની જરૂર પડતી નથી. પરંતુ આત્મજ્ઞાન માટે સતત સાધના દ્વારા સૂક્ષ્મ દૃષ્ટિની પ્રાપ્તિ થતાં પ્રથમ તે આત્માને શ્રદ્ધા/અનુમાન વડે પરોક્ષ અનુભૂતિ થાય છે ત્યાર પછી તત્ત્વદષ્ટિ વડે આત્મનુભૂતિ સંભવ છે. [૬૬] સંસારી જીવોના જડ પદાર્થોના અનુભવો ઇન્દ્રિય અને મનગ્રાહ્ય છે. તેમાં ચેતનાની ઉપસ્થિતિ છે પણ તેમાં આત્માનો અનુભવ નથી. ઇન્દ્રિયજન્ય અનુભવો નાશવાન છે, ભ્રમણાત્મક છે. તે અંતિમ પણ નથી. એવા અસંખ્યાત પદાર્થોનો પરિચય જ્ઞાન ન થઈ શકે જ્યારે એકમાત્ર આત્મજ્ઞાન સમસ્ત વિશ્વનું જ્ઞાન બની શકે એવો ચૈતન્ય પ્રભુનો મહિમા છે. આવું સ્પષ્ટ છતાં જગતના જીવોની આંધળી દોટ શમતી નથી. - [૫૬]. આત્મા જન્મતો નથી, મરતો નથી. છતાં જીવને મરણનો ભય છે. જો કે જન્મનો ભય નથી. જન્મનું દુઃખ છે. સૂર્ય પૂર્વમાં ઊગે ૧૫૬ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy