SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ રાગાદિ ભાવનો અભાવ તે શૂન્યત્વ, નિર્લેપતા) મનને બાહ્ય પદાર્થોની અસર/આકર્ષણથી બચાવવાનું છે, સમ્યફ મનથી સંસ્કારિત મનને મારવાનું છે. પછી મોહનીયનો ક્ષયોપશમ કરી, સર્વથા ક્ષય કરી. સૂક્ષ્મ મનથી (શૂન્ય)-બાહ્ય અસરરહિત શુદ્ધાત્મામાં સ્થિર થવાનું છે ત્યાર પછી સિદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. [૫૪૪] દ્રવ્યમનમનોવર્ગણા દ્વારા વિચારનું સર્જન વિસર્જન થાય છે. ભાવમનમાં જ્ઞાનના વિકલ્પોનો સંગ્રહ થાય છે. મનમાં વર્તતા રાગ મોહ અજ્ઞાન જનિત વિકલ્પો તે ભાવમન છે. ભાવમન પરિવર્તિત થવાથી કેવળ શુદ્ધ ઉપયોગ/કેવળજ્ઞાન રહે છે. તેથી તેઓ દુઃખમુક્ત હોય [૫૪૫] તાવ છે માટે દવાની જરૂર છે એટલું જ નથી પણ તાવ દરમિયાન જે પીડા દુઃખ છે તે વેઠવું પડે છે, તે દુઃખ દૂર કરવા માટે દવાની જરૂર વિશેષ છે. તે જ પ્રમાણે અધ્યાત્મમાં જીવનો સ્વભાવ સ્વરૂપથી આનંદસ્વરૂપ અનંત સુખનો સ્વામી હોવા છતાં દુઃખનું વેદન કરવું પડે છે, તે આનંદસ્વરૂપને પામવા માટે ધર્મની સાધના છે. વેદન તત્ત્વની રીતે જીવદ્રવ્યને વિચારવું જોઈએ નહિ તો અંજામ ભૂંડો છે. જીવવા ખાતર ગે જે જિંદગી જીવી ગયો એની જીવનની નોંધ “મોત' શીર્ષક હોય છે” [૫૪૬] સાધકે કુસંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો. કોલસો સળગતો દઝાડે અને ઠંડો હોય તો હાથ કાળો કરે. એક રાજા થાકેલો હતો તે વૃક્ષ નીચે આરામ કરતો હતો ત્યાં વૃક્ષ પર બેઠેલો કાગડો કા કા કરવા લાગ્યો. રાજાએ આવેશમાં આવીને એક તીર ફેંક્યું, કાગડો ઝડપથી ઊડી ગયો. એ તીર એ ડાળ પર બેઠેલા હંસને વાગ્યું તે ઘવાઈને જમીન પર પડ્યો. રાજા તરત જ બોલ્યો પહેલા ક્યારે ય કાગડો ધોળો જોયો નથી, પ્રથમ કાગડાના સંગે હંસે જાન ગુમાવ્યો. (કુસંગ) બીજું કે કેવલ દેહલક્ષી આત્માને આત્માની ઓળખ આપો તો કહેશે ૧૫૦ ૪૯ અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy