SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી કેવળજ્ઞાનાવસ્થામાં નિષ્પન્ન આનંદને વિશ્વમાં કોઈ સાથે સંબંધ નથી. આ જ્ઞાનમાં શેય જાણવા જવાનું નથી. શેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. આમ વિતરાગતા એ કેવળજ્ઞાનની વિશિષ્ટતા છે. અપેક્ષાએ કેવળજ્ઞાનની સર્વજ્ઞતા શેયસાપેક્ષ છે. જ્યારે સ્વરૂપાનંદ નિરપેક્ષ [૫૪] ચૈતન્ય તત્ત્વની બે વિશેષતા ૧. જ્ઞાન, ૨. આનંદ, યદ્યપિ બંને અભિન્ન છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. અથવા જ્ઞાનનું પરિણામ આનંદ છે. દૃષ્ટિમાં, ભાવમાં, વિચારમાં મલિનતા હશે, રાગાદિ હશે તો જ્ઞાનના ફળરૂપ આનંદ નહિ થાય, પણ દુઃખ મળશે. જ્ઞાનમાં ભળતા મોહાદિ વિકારભાવો છે. જેનાથી જ્ઞાન આવરાય છે. [૫૪૧] આત્મા જ્ઞાયક અને વેદક (અનુભવવાળી) છે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે, જાણનાર છે. સ્વ પ્રત્યે આનંદ વેદનસ્વરૂપ છે. પરક્ષેત્રે નિઃશંક જ્ઞાનપ્રકાશ અનુભવ છે. છદ્મસ્થ જ્ઞાનીને નિઃશંકપણે આનંદ અનુભવાય છે પરંતુ તે અપૂર્ણ છે. કેવળજ્ઞાનમાં નિરાવરણનો આનંદ છે. માટે આત્માને સચ્ચિનદાનંદ કહ્યો છે, પરદ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે જ્યારે સ્વદ્રવ્યમાં જ્ઞાન વેદક છે. ધ્યાન કરતાં જ્ઞાનની સહજતા છે. ધ્યાન આવીને તું રહે છે. જ્યારે જ્ઞાન સદાકાળ રહે છે. [૫૪૨] જ્ઞાન આનંદનું લક્ષણ છે તેથી સર્વ જીવ સદા સુખ-આનંદને તલસે છે. જ્યાં આનંદ છે ત્યાં સહજ જ્ઞાન છે. લક્ષણરૂપે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ જીવોને છે. પરંતુ જ્ઞાનનું સહજ પૂર્ણ કાર્ય સ્વરૂપ આનંદ સર્વ જીવોને નથી. બાહ્ય જ્ઞાનથી જીવ થાકશે પણ જ્ઞાનના કાર્યરૂપે થતાં આનંદ-સુખથી થાકતો નથી તે અવ્યાબાધ છે. જ્ઞાનમાં આનંદનું વેદન છે તેથી શેય અને જ્ઞાન કરતા આનંદ-સ્વરૂપાનંદનું લક્ષ્ય મુખ્ય કરવું. [૫૪૩] શૂન્ય થઈ જાવ એટલે શું ? શૂન્યત્વ એટલે કોઈ વસ્તુનો અભાવ કે જીવત્વનો અભાવ નહિ પરંતુ અસરનો અભાવ. જેમકે ઉપયોગમાં અમૃતધારા ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy