SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મથી હું તો દેહ જ જોતો આવ્યો છે. શું આ દેહમાં આત્મા હોય છે? કેવું અજ્ઞાન? (હંસમાં કાગડો જોયો) : [૫૪]. સંસારમાં જે કંઈ બને છે તે પૂર્વસંચિત પાપપુણ્યનો વિપાકોદય છે. અને વર્તમાનમાં જે કંઈ શુભાશુભભાવ કરીએ છીએ તેના આધારે પુણ્યપાપના પુનઃ બંધ થાય છે. સંસારીજીવ આવા કર્મના ઉદયને વશ હોય છે. સંસારી જીવ. કર્મને વશ કરવાનું બળ હોય છે જ્ઞાનીમાં. બહારમાં આપણા દુશ્મનોની સંખ્યા મોટી હોય તો પણ મોક્ષ મેળવવામાં બાધક નહિ થાય. પરંતુ જીવને પોતાને કોઈ એક જ વ્યક્તિ માટે દુશમનાવટ હશે તો તે આંતરિક શત્રુભાવ શત્રુ થઈને મોક્ષને બાધક થશે. [૫૪૮]. ખસના દર્દીને શરીર પર આવતી ખંજવાળ વધી જતી શમાવવા માટે જે કંઈ મળે તેની સાથે શરીરના અંગને ઘસે. ઝાડ સાથે, ભીંત સાથે, વાસણ સાથે, તે વખતે સારું લાગે પણ પછી અગન પેદા થાય ત્યારે અસહ્ય લાગે. તેમ ભોગની ખંજવાળવાળો વાસનાને સમાવવા અનેક પદાર્થોનું સેવન કરે છેવટે રોગનો ભોગ બને છે. ભોગ જ રોગમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારે ઘણું દુઃખ ભોગવે છે. ભલે ચંદન શીતળ હોય પણ તે જો અગ્નિનું રૂપ ધારણ કરે તો વનને બાળે છે. તેમ ભોગવૃદ્ધિથી કરેલો ધર્મ જ્યારે પુણ્યથી ઉદયમાં આવે છે ત્યારે આત્મિક સુખને બાધક થાય છે. તેથી જ્ઞાની પુણ્ય-ભોગને મનથી અહિતકારી માને છે. [૫૪] સંસારનાં દુઃખોથી છોડાવે અને ઉત્તમ-સાચું સુખ આપે તે ધર્મ. એવો ધર્મ કોણ ધારણ કરે, એવા ઉત્તમ ભાવો કોને થાય? જીવને પોતાનું એકત્વ અનન્યપણું કે વિશુદ્ધપણું સમજાય તેને ઉત્તમ ભાવો થાય કે જીવ જન્મ અને મરે છે. આત્માનું સ્વરૂપ એવું નથી તે તો જ્ઞાનસ્વરૂપ છે. અંતરમાં ઊંડો ઊતરીને વિચારે છે કે મારું સ્વરૂપ શું અને હું શું કરું છું. સબોધ દ્વારા પોતાના સ્વરૂપને જાણીને અંતરંગ અમૃતધારા ૧૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy