SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જમાડ્યા, બાળકને ખોળામાં બેસાડ્યો. શ્રાવક શાંત થયા. ઉદયનમંત્રી કહે બાળક માતાએ ગુરુદેવને સુપ્રત કર્યો છે. ભાવિનો મહાપુરુષ છે. શ્રાવક કહે તો તમારા દીકરા સોંપોને ! મારા દીકરા આ માર્ગને યોગ્ય નથી. તું કહે તો ત્રણે દીકરા અને આ સંપત્તિ તને સોંપી દઉં? પણ મારું પુણ્ય તારા જેવું–આવા બાળકના પિતા બનવા જેવું નથી. મંત્રીની આંખોમાં અશ્રુપ્રવાહ વહી રહ્યો છે. [૫૧૨] શ્રાવકના પણ ભાવ બદલાઈ ગયા. બાળક સોંપ્યો તે મુનિ સોમચંદ્ર પછી હેમચંદ્રાચાર્ય તરીકે પ્રગટ થયા. વ્યવહારધર્મ નિભાવવા પણ દીકરા અને સંપત્તિ પૂરી જતી કરવા તૈયાર થયા તેમાં નિશ્ચયધર્મની ભાવનાનું બીજ ન હોય તો આવો ત્યાગ ફુરે નહિ. સાધક આવા સામર્થ્યવાળા હોય. આધ્યાત્મિક માર્ગમાં આત્મિક ગુણોનો વિકાસ મુખ્ય છે. દોષનો અભાવ તે ગુણો નથી. પણ સહજ ગુણોનું પ્રગટીકરણ તે ગુણ છે. નિગોદના જીવોમાં ગુસ્સો કોધાદિનું વ્યક્તપણું નથી તેથી તેનો અભાવ છે એને ગુણ વિકાસ છે તેમ ન માનવું. ત્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ નથી. કન્યા ન મળે અને અપરીણિત રહેલો મનુષ્ય બ્રહ્મચારી નથી મનાતો પણ પરિણિત શ્રાવક બ્રહ્મચર્યનું પાલન કરે તો તે ગુણ કહેવાય છે. જે બ્રહ્મચર્ય આત્મિક ગુણમાં પરિણમે છે. વસ્તુના અભાવમાં ઇચ્છાઓ સાધકને બાધક છે. [૫૧૩] એક સંતના ઉદ્ગાર, શું સર્વની પાસે આત્મા છે? જે મોહનિદ્રામાં, અસત્યમાં સૂતો છે, તે શું આત્મા છે? જે આત્માને સ્વસ્વરૂપે-સત્યરૂપે જાણે છે, પ્રગટ કરે છે તે આત્મા છે. જેનો આત્મા જાગૃત નથી તે અમુનિ છે. [પ૧૪] તમે સાંભળો કે કોઈ બાળક જન્મ્યો ત્યારે વૃદ્ધાવસ્થામાં હતો, આશ્ચર્ય લાગશે. પણ મરતાં સુધી બાળકબુદ્ધિ રહ્યો તેનું આશ્ચર્ય નહિ અમૃતધારા ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy