SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે. વિચારો કે રેતીનાં ઘર બનાવતાં બાળકો ઝઘડી પડ્યાં, ત્યાં તેમનાં વડીલો આવી પહોંચ્યાં. તેઓ પણ ઝઘડવા લાગ્યાં. કોઈએ પૂછ્યું કે શાને માટે ઝઘડો છો? આ રેતીના ઘર માટે. પણ ક્યાં છે એ રેતીનાં ઘર ? આ ઝઘડામાં કોણ બાળક કોણ વડીલ. અરે એ જ બાળક મોટાં થઈ અન્ય વસ્તુઓ માટે ઝઘડશે, મરતાં સુધી ઝઘડતાં માનવને બાળક કહેવા, પ્રૌઢ કહેવા કે વૃદ્ધ કહેવા? આત્મિક વિકાસની દૃષ્ટિએ તો બાળબુદ્ધિ કહો કે પશુ કહો, માનવજીવન વ્યર્થ જાય છે. માનવે પોતાના જ અંતસ્તલમાં આત્માને જન્મ આપવાનો છે. જેમ ધરતીમાં વાવેલું બીજ અંકુરમાં પરિવર્તિત થાય છે. તેમ માનવે પોતાની આત્મસત્તાને સત્ય દ્વારા અંકુરિત કરવી પડે છે. [૧૫] આત્મસત્તા સત્યથી ભરપૂર છે. તેને જીવનની હરેક પળે સહજતાથી પ્રગટ થવા દો. એક ધર્માચાર્ય પાસે પ્રેસ-રિપોર્ટર મળવા (દર્શનાર્થે નહિ) આવ્યો. તેણે પોતાનો પરિચય આપ્યો. “સમાચારપત્રમાં તમારી વિરુદ્ધ લેખ લખું છું તે હું છું” ધર્માચાર્ય: “ઠીક તેનું કારણ તમે જાણો છો? ધર્માચાર્ય: “ના.” તેઓ તો એકાક્ષારી જવાબ આપી સહજતાથી જોતા રહ્યા. છેવટે પત્રકારે કહ્યું કે તેમાં મને એ લાભ છે કે મારી પ્રસિદ્ધિ થાય છે અને મારી સામે તમારા તરફથી કોઈ નડવાનું નથી. ધર્માચાર્ય : એ જ શાંતિથી ઠીક', પત્રકાર જરા મૂંઝાયા. છેવટે કહે મને કંઈ બોધ આપો. ધર્માચાર્ય - આત્મકલ્યાણ હજો. પુનઃ પત્રકારે બોધની માંગણી કરી. ધર્માચાર્ય ભાઈ સાંભળ. તું જે કંઈ કરે તેમાં સત્યને વળગી રહેજે. તારા આત્માનું અહિત થાય તેવું કરતો નહિ કેવી સહજતા ! પોતાના વિશેની વિરુદ્ધતાવાળા સામે પણ એ જ સૌમ્યતા એ જ સહજતા. આવા હોય ધર્માચાર્ય. [૫૧૬] એક પ્રસંગ વાંચવામાં આવ્યો. એ અવિવાહિત કન્યાએ બાળકને ૧૪૨ * અમૃતધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy