________________
અંદાજ કાઢી શકો પણ આ મનના વિકલ્પો, વિચારો અને વાસનાઓ કેટલા સેવા તેને અંદાજ શું ? તેનો કોઈ હિસાબ નહિ. છતાં વિચારવા જેવી વાત એ છે કે એ વિચાર અને વાસનાઓ જન્મજન્માંતરોનું રૂપ લઈ ચેતનાને પૂરી પૃથ્વીની પરિક્રમા કરાવે છે. મેળવે છે શું? જવાબ મળતો નથી.
[૫૦૨] માનવ જીવનભર હું હું બોલતો રહે છે. છતાં હું કોણ છે તે તો એ જાણતો નથી. “હું” નું અસ્તિત્વ છે પરંતુ તેનો બોધ નથી. કોઈ વિરલ જીવો હું ને જાણી શક્યા વાસ્તવમાં જેને આપણે ધર્મ કે દર્શન કહીએ છીએ તે સર્વનું મૂળભૂત રહસ્ય આ હુને જાણવાનું છે. તેને સાધ્ય માનીએ તો સાધના દ્વારા તે પ્રગટ થાય. એ સાધનામાં મુખ્યતા અંતર્મુખતાની છે. હું સ્વયં પરમાત્મસ્વરૂપ છે. તેવું જ્ઞાન અને ભાન હું ના રહસ્યને પ્રગટ કરે છે.
આ હું સ્વયં સ્વરૂપ છે તે આનંદરૂપે અનુભવાય છે. તે માટે તર્ક નહિ પરંતુ સમ્યફ વિચારણા, સુવિચારણા છે. બુદ્ધિ કે તર્ક એ રહસ્ય સુધી પહોંચી શકતાં નથી. જેને ધર્મ કહીએ તે પણ બુદ્ધિમાં સીમિત નથી. તેઓ સ્વરૂપને પ્રગટ કરવાનું સાધન છે, અને સાધ્ય પણ છે. ઉપયોગોને સમ્યકુ યોગમાં જોડી પ્રયોગ કરો તો સ્વરૂપાનંદની ઉપલબ્ધિ શક્ય છે.
[૫૦] કહે છે કે શહેરોમાં હવામાં ટનબંધ ખૂબ) ધૂળ ઊતરે છે. તેનું પ્રમાણ નાનાં છિદ્રો દ્વારા ઘરમાં આવતા પ્રકાશમાં તે ધૂળની રજકણો ફર્યા કરે છે. પ્રકાશને સૂક્ષ્મતાથી જોઈએ તો એ છિદ્રોવાળો પ્રકાશની રેખા ધૂલકણોથી આવૃત્ત દેખાશે. ત્યારે પણ પ્રકાશ તો પ્રકાશ છે છતાં વિજાતીય તત્ત્વથી ભરેલો જણાય છે. એવી રીતે દેહ અને આત્મા. આત્મા સાથે અનેક પ્રકારની કર્મની રજકણો જોડાઈ ગઈ છે. તેમાં આત્મસ્વરૂપ આવૃત્ત થયેલું છે. પરંતુ જે સાધકને સ્વરૂપ પ્રાપ્તિ કરવી છે. તે નિશ્ચય કરે છે કે કર્મરજકણો બહારનો પદાર્થ છે. ઇન્દ્રિયાદિ
૧૩૮ અમૃતધારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org