SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રેસનો એ ઘોડો વર્ષોથી નંબર ૧માં આવતો. તેના પર લાખોની હાર જીત થતી. એ દિવસે લોકોએ એક નંબરના ઘોડા પર લાખોની રકમ લડાવી. રેસ શરૂ થઈ. પણ આશ્ચર્ય નંબર ૧વાળો ઘાડો પ્રથમ પાંચમાં પણ ન આવ્યો. શું બન્યું? આજે એને ચલાવનાર જોકી બદલાયો હતો. એ જ ઘોડાને કેવી રીતે દોડાવવો તેનું તેને જ્ઞાન ન હતું. જેવો ઘોડો તેવો જોકી જોઈએ. ઘોડો રેસમાં જીતવાનું સાધન કારણ હતું. કાર્ય જોકીના જ્ઞાન પર ચલાવવાની કળા પર અવલંબિત હતું. ૪િ૯૯] એ પ્રમાણે આત્માનો ગુણ જ્ઞાન છે. તે જ્ઞાનને જ્ઞાનસ્વરૂપે જાણવું કે શેયમાં જ પરિમિત કરવું તે માટે આત્મા સ્વતંત્ર છે. જે આત્મસ્વરૂપને સારરૂપે જાણે. તે તેવું માને, અને માને તવું માણે એટલે આચરે. આમ જાણે, માને અને આચરે તે સ્વસ્વરૂપને પ્રગટ કરે. જ્ઞાન અને અજ્ઞાન બંને આત્માની જ શુદ્ધ અને અશુદ્ધ અવસ્થા છે. સુદ્ધ અવસ્થા તે જ્ઞાન છે. તેના આશ્રયે મુક્તિ પ્રગટ થાય છે. [૫૦] એક વિચાર જગતમાં ક્રૂર અને ઝેરી પશુઓ, જીવો આવ્યા ક્યાંથી ? તેમની આકૃતિમાં રહેલી ચેતનામાં એવા અધમ સંસ્કારો કેવી રીતે સર્જાયા? હે માનવ તું વિચારવાન છું. જો આવા ક્રૂર અને ઝેરી પશુઓને દૂર કરવા હોય તો તું પોતે તારામાંથી કૂરતા અને ઝેર કાઢી નાંખ. કારણ કે તારી પ્રકૃતિ જ તને તારી એવી આકૃતિનું સર્જન કરશે. એ પશુઓને મારી નાંખવાથી પ્રશ્ન ઊકલી શકશે નહિ, તેમને મારવામાં દુષ્ટ વિચારોનું ચક્ર લાંબું ચાલશે. એક વાર તું મરીને કે તારા ઝેરી વિચારોને મારીને વધારે સારો થા. પૂર્ણ થા. જો કે આ તત્ત્વજ્ઞાનને બધા પચાવી ન શકે. પરંતુ પ્રાર્થના તો કરી શકે ને કે હે પ્રભુ ! મને પૂર્ણ પ્રેમે જીવવાની, અન્યને જિવાડવામાં સહાયભૂત થવાની શક્તિ આપ. [૫૦૧] આ જીવનમાં તમે કેટલું અનાજ ખાધું કેટલું પાણી પીધું તેનો અમૃતધાર ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy