SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ થયો તો પ્રભુમય મહાન ચેતના પ્રગટ થતી નથી. પરંતુ મનુષ્યનું ધ્યાન ચેનતા ૫૨ જાય તો ચેતના સ્વયં ઉપર ઊઠે. [૪૯૧] પિતા પુત્ર બંને સંન્યાસી હતા. પિતા ગુરુએ પુત્ર-શિષ્યને શિક્ષા આપી હતી. આત્મા અને દેહ ભિન્ન છે. દેહમાં આત્મબુદ્ધિ અજ્ઞાન છે. આત્મા આત્મરૂપે સ્વયં સિદ્ધ છે. પુત્ર શિક્ષણથી જ્ઞાન પામ્યો. તેને જ્ઞાતાભાવ પ્રતીતિમાં હતો. એક વાર તેઓ જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં સિંહની ત્રાડ સાંભળી. સિંહ નજીક દેખાયો. પિતાએ કહ્યું, માર્ગ બદલી લે. પુત્ર કહે શરીર આત્મા જુદા છે પછી ભય શો ? સિંહે હુમલો કર્યો પુત્ર જ્ઞાતાભાવે જોતો રહ્યો. આત્માર્થ પામી ગયો. પિતા રડતા રહ્યા. એકનું જ્ઞાન પ્રતીતિરૂપે હતું. પિતાનું જ્ઞાન શાસ્ત્રસીમિત હતું. શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન પ્રત્યે લઈ જનારું માત્ર સાધન છે. આત્મજ્ઞાન સ્વયં શક્તિ છે. [૪૯] સંસ્કારવશ ઇંદ્રિયાધીન જીવને લાગે છે કે ત્યાગ-ધર્મ કઠિન છે. પરંતુ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ તુચ્છ લાગે છે. જેમ સાગરતટે ગયેલો બાળકે ચળકતાં છીપલાં વીણ્યાં, ખૂબ ભેગાં કરી થેલી ભરી, તેણે જોયું કે બીજા માણસોએ તે તરફ નજર પણ ન કરી, તે છીપલાં ઉચકવામાં સહાય પણ ન કરી. દુ:ખ સાથે છીપલાં છોડવાં પડ્યાં. એ માણસો તેને તે દિવસે મહાન ત્યાગી લાગ્યા. પરંતુ એ બાળક યુવાન થયો પુનઃ સાગરતટે ગયો અને તેને બાળપણ અને તે દિવસે છીપલાં છોડતાં દુઃખ થયું હતું તે યાદ આવ્યું. છીપલાં ચાંદી નથી એમ બોધ થયા પછી તેનો ત્યાગ કરવો કઠિન નથી. ત્યાગ કરેલી વસ્તુઓ તુચ્છ લાગે છે અને તેના બદલે વિકસેલી આત્મ શક્તિનું મૂલ્ય સમજાય છે. [૪૯૩] તે રીતે જીવ કર્મનાં બંધનો તોડે, અને તેનાં કારણો કે જે તુચ્છ અને ક્ષણિક છે તેને છોડે તો તેને બદલામાં તે અમૂલ્ય મુક્તિ પામે છે. અગર તો પાપનાં કારણો એવાં હિંસાદિ છોડે છે અને પુણ્ય Jain Education International અમૃતધારા * ૧૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001993
Book TitleAmrutdhara
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2004
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Sermon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy